Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં વાપી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા બધા વિકાસના કામો કરવામાં આવ્‍યા અને હાલમાં પણ આ પ્રકારના ઘણા બધા કાર્યો ચાલી રહ્યા છે. આજ રોજ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, માનદમંત્રી શ્રી સતીષભાઈ પટેલ અને વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મિલનભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી રાજ કુમાર આઈએએસ સાથે તેમના કાર્યાલય ખાતે મળીને સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ સુએજ ટ્રીટમેન્‍ટપ્‍લાન્‍ટ (એસટીપી) ખ્‍ત્‍ત્‍ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી, ઝડપથી યોજનાનો અમલ થાય એવા પ્રયાસ હાથ ધરવા માટે બેઠક યોજી હતી.

Related posts

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

vartmanpravah

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

ગુરૂવારે દાનહ અને દમણમાં 11 – 11 જ્‍યારે દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment