April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે નયનાબેન પટેલની વરણી

નરોલી ગ્રામ પંચાયતમાં હવે તમામ સભ્‍યો ભાજપ સમર્થિત હોવાથી સર્વાનુમતે ગામના વિકાસ કામોને મળનારી પ્રાથમિકતા 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 11 : દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલનું આકસ્‍મિક નિધન થતાં ખાલી પડેલા સરપંચ પદ માટે આજે પંચાયતના સભ્‍યો મારફત ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે શ્રીમતી નયનાબેન નરેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 11 ગ્રામ પંચાયત સભ્‍યોનું કદ ધરાવતી નરોલી ગ્રામ પંચાયતમાં હવે લગભગ તમામ સભ્‍યોએ આપેલા ભાજપના સમર્થન બાદ શ્રીમતી નયનાબેન નરેશભાઈ પટેલના નામ ઉપર સરપંચ પદ માટે સહમતિ સાધવામાં આવી હતી. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરની અધ્‍યક્ષતામાં મળેલી ગ્રામ પંચાયતનીખાસ સામાન્‍ય સભામાં શ્રીમતી નયનાબેન પટેલને સરપંચ તરીકે બિરાજમાન કરવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ સહિત ભાજપના પદાધિકારીઓ અને નરોલી ગામના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઘોષિત થયેલા શ્રીમતી નયનાબેન પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ગામના જે પણ વિકાસ કામો બાકી છે તે તમામ સૌના સાથ અને સહકારથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે સરપંચ બનાવવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

Leave a Comment