Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

રૂ. 55 લાખના વિકાસના કામોનું લોકાપર્ણ અને લાઈબ્રેરી હોલનું ખાતમૂર્હુત પણ કરાયું

વલસાડ તા. 8 જુલાઈ

ગુજરાત સરકારની લાભાર્થીઓને વ્યક્તિગત રીતે સ્પર્શવાની અનોખી કામગીરીના ભાગરૂપે વંદે ગુજરાત કાર્યક્રમ પારડી વિધાનસભાના સુખેશ ગામમાં આયોજિત થયો હતો. જેમાં રાજ્યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 520 લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા હતા. સાથે જ રૂ. 55 લાખના વિકાસના કામોનું લોકાપર્ણ પણ કરાયું હતું.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્યશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત તા. 8 જુલાઈના રોજ પારડી તાલુકાના સુખેશ ગામ વિસ્તારના અલગ અલગ વિભાગના 520 જેટલાં લાભાર્થીને પ્રમાણપત્ર અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

સાથે સાથે સુખેશ ગામે મંત્રીશ્રીના હસ્તે લાઈબ્રેરી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 55 લાખના વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વંદે ગુજરાત રથને મંત્રીશ્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને અધિકારી ગણ પ્રયોજના વહીવટદાર વસાવા, અધિક કલેક્ટર વલસાડ જિલ્લા, TDO પારડી તાલુકા સન્ની પટેલ, મહેશભાઈ દેસાઈ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ, પારડી તા પં પ્રમુખ મિતલબેન  પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ સિંચાઈ ચેરમેન મુકેશભાઈ પટેલ અને સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

ભારે વરસાદની વચ્ચે પણ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત થયો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજનમાં પારડી તાલુકા સંગઠનના મહામંત્રી અજયભાઈ પટેલ તેમજ પૂર્વ મહામંત્રી અને હાલમાં સરપંચ પૂનીતભાઈ પટેલ તેમજ તેમજ સરકારી અધિકારીગણે જહેમત ઉઠાવી હતી.

 

 

Related posts

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

Leave a Comment