April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

વર્ષ-2007થી અત્‍યાર સુધીમાં આશીર્વાદ રૂપ 108 એમ્‍બ્‍યુલન્‍સમાં મહિલાઓની નોર્મલ ડિલેવરી કરાવી માતા અને બાળકોના જીવ બચાવ્‍યા હતા

જિલ્લામાં 15 જેટલી 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 65- પાયલટ અને 65-જેટલા ઈએમટી સેવા બજાવી રહ્યા છે

ગુજરાતની સંજીવન બની 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા લાખો લોકોને આપ્‍યું નવજીવન

(અહેવાલ : દીપક સોલંકી ચીખલી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.16: હાલના વડાપ્રધાન અને તત્‍કાલીન ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી હતા ત્‍યારે વર્ષ 2007 માં 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો પ્રારંભ થયો હતો. જે હવે લોકો માટે સંજીવની બુટ્ટી સમાન સાબિત થતા વર્ષ 2007 થી 2023 સુધી 108 એમ્‍બ્‍યુલન્‍સ 16 વર્ષમાં કુલ્લે 3,33,917 કેશોમાં જીવ બચાવતા આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.
નવસારી જિલ્લામાં 108ની ટીમે સગર્ભા મહિલાઓ માટે અને બાળકોના જીવ બચાવવા માટે આશીર્વાદ રૂપ બની રહી છે, નવસારી જિલ્લામાં છેલ્લા 16 વર્ષમાં 108ની ટીમે 1510 જેટલી મહિલાઓને હોસ્‍પિટલ ખસેડતા એમ્‍બ્‍યુલન્‍સમાં ડિલેવરી કરાવી હતી જ્‍યારે નવસારી જિલ્લામાં એક્‍સિડન્‍ટ કેસ 41730, હાર્ટ રિલેટેડ કેસ 13386, તેમજ શ્વાસ રીલેટેડ 22270 જ્‍યારે ગંભીર કેસો કેજેમાં 108 સેવાના લીધે 38915 જીવ બચાવી આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે
નવસારી જિલ્લામાં માતા અને બાળ મૃત્‍યુ દર અટકાવવા છેલ્લાં 16 વર્ષથી 108ની ટીમે આશીર્વાદ રૂપ પ્રેગ્નેટ મહિલાઓને હોસ્‍પિટલમાં ખસેડતી વખતે 108 એમ્‍બ્‍યુલન્‍સમાં મહિલાની નોર્મલ ડિલેવરી કરાવી પડી હતી. નવસારી જિલ્લામાં બાળ મરણ અને માતા મરણ દર અટકાવવા 108ની ટીમ અગ્રેસર રહી છે જિલ્લાના આદિવાસી વિસ્‍તારોમાં અને શ્રમિકો પ્રેગ્નેટ મહિલાઓને પ્રસુતિનો દુઃખાવો ઉપડતાં પરિવાર જનો દ્વારા 108 ની મદદ મેળવીને મહિલાને હોસ્‍પિટલ ખસેડતા હોય છે 108ની ટીમ દ્વારા પ્રેગ્નેટ મહિલાને હોસ્‍પિટલ ખસેડતી વખતે મહિલાઓને પ્રસુતિનો દુઃખાવો ઉપડતાં એમ્‍બ્‍યુલન્‍સને રોડની સાઈડ પર અટકાવી 108નાં પાયલટ અને ઈએમટી સાથે પરિવારજનોની મદદ લઈને એમ્‍બ્‍યુલન્‍સમાં મહિલાઓની નોર્મલ ડિલેવરી કરાવી માતા અને બાળકોના જીવ બચાવ્‍યા હતા. 108માં મહિલાની ડિલેવરી કરાવ્‍યા બાડ મહિલા અને નવજાત શિશુને સુરક્ષિત હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા. 108ની ટીમે અત્‍યાર સુધીમાં 333917 ઈમરજન્‍સી કેસો એટેન્‍ડ કર્યા હતા. લોકો માટે નવસારી જિલ્લામાં 108ની ટીમ આશીર્વાદ રૂપ બની રહી છે તેમજ કોરોના મહામારીમાં પણ 108ની ટીમે સતત સેવા બજાવી હતી જેનેલઇને તેવો ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બન્‍યાં છે

Related posts

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે જાહેરમાં લોકોની વચ્‍ચે વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધાના નવતર કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment