March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્‍યું હતું. સામાન્‍ય સભામાં તલાવચોરા અને ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજન માટે પણ ઠરાવ પસાર કરાયો હતો.
તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતના અધ્‍યક્ષ સ્‍થાને કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ,ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બારોટ, ઉપ પ્રમુખ જીગ્નેશ ગાંવિત, શાસક પક્ષના નેતા મહેશભાઈ, દંડક તોહલ નાયક, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24 ના સરકારી પ્રવૃત્તિ અને સ્‍વભંડોળના અંદાજપત્ર પર વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંદાજપત્રમાં સ્‍વભંડોળમાં આરોગ્‍ય, શિક્ષણ, પશુપાલન, કુદરતી આફતો, જાહેર બાંધકામ વિગેરેની કરાયેલ જોગવાઈઓનું વિવરણ મદદનીશ ટીડીઓ જીતુભાઈ તથા નાયબ હિસાબનીશ અરવિંદભાઈ થોરાટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતે જણાવ્‍યું હતું કે બજેટમાં વિકાસના કામોને ધ્‍યાનમાં રાખી રસ્‍તા, પાણી જેવા લોકોની સુખાકરી ના કામ માટે જાહેર બાંધકામ ક્ષેત્રે સૌથી વધુ રૂા.2.23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટીડીઓ ચેતનભાઈ દેસાઈ દ્વારા સરપંચોની રજૂઆત સંદર્ભે અભિપ્રાય માંગવામાં આવતા શાસક પક્ષના તમામ સભ્‍યોએ એકસુરે હાલે જે ટેન્‍ડરિંગ પધ્‍ધતી તાલુકા પંચાયત કક્ષાએથી ચાલી રહી છે. તે યથાવત રાખવાનો અભિપ્રાય આપ્‍યો હતો.
સામાન્‍ય સભામાં તલાવચોરા ગ્રામ પંચાયતમાંથી બારોલીયા અને ગોડથલ ગ્રામ પંચાયતમાંથી વિભાજન માટે જરૂરી ઠરાવ કરી જિલ્લા પંચાયતમાં દરખાસ્‍ત મોકલવાનું પણ નક્કી કરાયું હતું.સામાન્‍ય સભામાં વિકાસના કામો ઝડપથી પુરા થાય તે માટે પણ સભ્‍યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયા દ્વારા રસ્‍તા, શાળાના ઓરડાના તથા કાકડવેલમાં ગ્રામ પંચાયત ભવનના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન

vartmanpravah

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

vartmanpravah

Leave a Comment