April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ, વલસાડ દ્વારા આયોજીત દશેરાપર્વ પૂજા, તેજસ્‍વી તારલાઓ અને વિશિષ્‍ઠ સિદ્ધિ દ્વારા સમાજને ગૌરવ અપાવનાર મહાનુભાવોના સન્‍માન સમારોહનું આયોજન કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીની અધ્‍યક્ષતામાં ટ્રસ્‍ટી પ્રમુખ શ્રી ઠાકોરસિંહ ઝેડ. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે કિરણ હોસ્‍પિટલ સુરતના પ્રખ્‍યાત ન્‍યુરોસર્જન (બ્રેઈન એન્‍ડ સ્‍પાઈન સર્જરી) ડો. ભૌમિક પી. ઠાકોર તથા અતિથિ વિશેષ તરીકે ધરમપુરના રાજપૂત અગ્રણી અઅને એડવોકેટ તથા નોટરી શ્રી જયદીપસિંહજી એ. સોલંકી સહિત સમાજના વિશાળ સંખ્‍યામાં ભાઈ-બહેનોની હાજરીમાં પરંપરાગત રીતે દશેરાપર્વ પૂજા-શષાપૂજા શાષાોક્‍ત વિધીથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીએ ઉપસ્‍થિત મહાનુભાવોનું ઉષ્‍માભેર સ્‍વાગત કરી સમાજ વિકાસમાં સહકાર આપનાર ટ્રસ્‍ટી મંડળ અને કારોબારીને અભિનંદન પાઠવ્‍યા હતા. ટ્રસ્‍ટી પ્રમુખ ઠાકોરસિંહ સોલંકીએ સંસ્‍થાનો હેવાલ સુંદરરીતે રજૂ કરીને તમામ સમિતિ અધ્‍યક્ષો અને સમાજભવનના મેનેજરશ્રી દિપકસિંહ પરમારનીકામગીરીને બિરદાવી ત્‍યારબાદ શિક્ષણ સમિતિના અધ્‍યક્ષશ્રી રમેશસિંહ દેસાઈની અથાક મહેનતથી તૈયાર કરેલ 104 તેજસ્‍વી તારકો અને 20 જેટલા સમાજને ગૌરવ અપાવનાર મહાનુભાવોનું સન્‍માન પુષ્‍પગુચ્‍છ અને સ્‍મૃતિભેટ સાથે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સાથે સાંસ્‍કૃતિક સમિતિના અધ્‍યક્ષ ડો.ઈલા દેસાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ ભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. તેમાં અમદાવાદથી ખાસ પધારેલા શ્રીમતી સોનલબા પઢીયારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ સૌને મંત્રમુગ્‍ધ કરે તેવી તલવારબાજી રજૂ કરી સાંસ્‍કૃતિ કાર્યક્રમ રજૂ કરનાર સૌ યુવક-યુવતિઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામસિંહ દેસાઈએ કર્યું હતું. અંતે આભાર વિધી મહામંત્રી શ્રી નટવરસિંહ દોડિયાએ કરી હતી. રાષ્‍ટ્રગીત પછી એન્‍જિનિયર ગ્રુપના સૌજન્‍યથી સુરુચિ ભોજન બાદ 3પમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેમાં સર્વસંમતિથી તમામ કાર્યો ઠરાવો પસાર થયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં સભા પૂર્ણ થઈ હતી.

Related posts

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

દાનહની કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્‍યક્‍તિના નામે કરવાના કૌભાંડમાં સેલવાસ અને ખાનવેલના પૂર્વ મામલતદાર શર્મા અને ભંડારીના લંબાયેલા પોલીસ રિમાન્‍ડઃ કૌભાંડોના સૂત્રધારો સુધી પહોંચવા પોલીસ તંત્રની મથામણ

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

Leave a Comment