Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ રૂચિકા કાત્‍યાલે સેલવાસ ખાતે માનસિકઆરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો કરાવેલો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે આજે સેલવાસ ખાતે 108 કાર્યાલયમાં માનસિક આરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો આરંભ કર્યો હતો. દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે.
ભારત સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન માનસિક આરોગ્‍યના સંકટનો સ્‍વીકાર કરી એક ડિજિટલ માનસિક આરોગ્‍ય નેટવર્ક સ્‍થાપિત કરવા 2022-23ના બજેટમાં રાષ્‍ટ્રીય ટેલી માનસિક આરોગ્‍ય કાર્યક્રમ (એનટીએમએચપી)ની ઘોષણા કરી હતી. કેન્‍દ્ર સરકારનું લક્ષ પ્રત્‍યેક રાજ્‍ય/સંઘપ્રદેશમાં ઓછામાં ઓછું એક ટેલી માનસ પ્રકોષ્‍ઠ સ્‍થાપિત કરવાનું છે. જેથી દૂરના ઊંડાણના લોકોને પણ 24 કલાક મફત માનસિક આરોગ્‍ય સેવા મળી શકે.
અત્રે નોંધનીય છે કે, કોવિડ બાદ દેશમાં વધેલા માનસિક અવસાદને દૂર કરવા માટે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયની પહેલ ઉપર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે ટેલી માનસ સેવા પ્રારંભ કરી છે. જેના અંતર્ગત 24×7 ટેલી કન્‍સલ્‍ટેશન સેવાઓ મફત આપવામાં આવશે. સંઘપ્રદેશના નાગરિકો હવે ઘરબેઠાં અનેક્‍યાંયથી પણ માર્ગદર્શન લઈ શકશે.
આ પ્રસંગે આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે જણાવ્‍યું હતું કે, જો તમને અથવા તમારી આસપાસના કોઈ વ્‍યક્‍તિને માનસિક આરોગ્‍ય સંબંધિ પરામર્શ, માદક દ્રવ્‍યોના સેવનની સમસ્‍યાથી છૂટકારો, દંપત્તિ અને પારિવારીક ઝઘડાના સંદર્ભમાં, મુશ્‍કેલ પરિસ્‍થિતિ તથા આત્‍મહત્‍યાના વિચારો કે આક્રમકતાને સંભાળવા, દુઃખ અને આફતને સંભાળવા તથા ઉંઘ અને અશાંતિની સમસ્‍યા હોય તો ટોલ ફ્રી નંબર 1800-891-4400/14416 ઉપર ભારતમાં ક્‍યાંયથી પણ કોઈપણ સમયે કોલ કરી શકો છો.
આ કાર્યક્રમમાં આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસ, માનસિક આરોગ્‍યના સ્‍ટેટ પ્રોગ્રામ અધિકારી ડો. મેઘલ શાહ, મનોચિકિત્‍સા વિભાગના ડોક્‍ટર, મનોચિત્‍સિક કાઉન્‍સેલર તથા મેન્‍ટલ હેલ્‍થ પ્રોગ્રામની ટીમના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah

Leave a Comment