Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ રૂચિકા કાત્‍યાલે સેલવાસ ખાતે માનસિકઆરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો કરાવેલો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે આજે સેલવાસ ખાતે 108 કાર્યાલયમાં માનસિક આરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો આરંભ કર્યો હતો. દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે.
ભારત સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન માનસિક આરોગ્‍યના સંકટનો સ્‍વીકાર કરી એક ડિજિટલ માનસિક આરોગ્‍ય નેટવર્ક સ્‍થાપિત કરવા 2022-23ના બજેટમાં રાષ્‍ટ્રીય ટેલી માનસિક આરોગ્‍ય કાર્યક્રમ (એનટીએમએચપી)ની ઘોષણા કરી હતી. કેન્‍દ્ર સરકારનું લક્ષ પ્રત્‍યેક રાજ્‍ય/સંઘપ્રદેશમાં ઓછામાં ઓછું એક ટેલી માનસ પ્રકોષ્‍ઠ સ્‍થાપિત કરવાનું છે. જેથી દૂરના ઊંડાણના લોકોને પણ 24 કલાક મફત માનસિક આરોગ્‍ય સેવા મળી શકે.
અત્રે નોંધનીય છે કે, કોવિડ બાદ દેશમાં વધેલા માનસિક અવસાદને દૂર કરવા માટે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયની પહેલ ઉપર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે ટેલી માનસ સેવા પ્રારંભ કરી છે. જેના અંતર્ગત 24×7 ટેલી કન્‍સલ્‍ટેશન સેવાઓ મફત આપવામાં આવશે. સંઘપ્રદેશના નાગરિકો હવે ઘરબેઠાં અનેક્‍યાંયથી પણ માર્ગદર્શન લઈ શકશે.
આ પ્રસંગે આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે જણાવ્‍યું હતું કે, જો તમને અથવા તમારી આસપાસના કોઈ વ્‍યક્‍તિને માનસિક આરોગ્‍ય સંબંધિ પરામર્શ, માદક દ્રવ્‍યોના સેવનની સમસ્‍યાથી છૂટકારો, દંપત્તિ અને પારિવારીક ઝઘડાના સંદર્ભમાં, મુશ્‍કેલ પરિસ્‍થિતિ તથા આત્‍મહત્‍યાના વિચારો કે આક્રમકતાને સંભાળવા, દુઃખ અને આફતને સંભાળવા તથા ઉંઘ અને અશાંતિની સમસ્‍યા હોય તો ટોલ ફ્રી નંબર 1800-891-4400/14416 ઉપર ભારતમાં ક્‍યાંયથી પણ કોઈપણ સમયે કોલ કરી શકો છો.
આ કાર્યક્રમમાં આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસ, માનસિક આરોગ્‍યના સ્‍ટેટ પ્રોગ્રામ અધિકારી ડો. મેઘલ શાહ, મનોચિકિત્‍સા વિભાગના ડોક્‍ટર, મનોચિત્‍સિક કાઉન્‍સેલર તથા મેન્‍ટલ હેલ્‍થ પ્રોગ્રામની ટીમના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

થ્રીડી ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં નાની દમણ સોમનાથ ડીઆઈએ હોલમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

Leave a Comment