January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

બેઝબોલના દંડા અને લોખંડના પાઈપથી ચાર ઈસમોએ કરેલા હિંસક હુમલામાં એક વ્‍યક્‍તિ ગંભીર રીતે જખ્‍મી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાના સરીગામમાં કંપનીઓમાંથી ભંગાર ઉચકવાની ચાલીરહેલી હરીફાઈમાં સર્જાયેલું ઘર્ષણ ગતરોજ હિંસક હુમલામાં પરિણમતા વાતાવરણ ભયભીત બની જવા પામ્‍યું છે. સરીગામના સ્‍થાનિક નેતાઓ વચ્‍ચે ભંગારની દલાલી કમાવવાની લાલચમાં કંપનીના માલિકો અને સંચાલકો ઉપર દબાણ લાવી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ સાવરીયા હોટલની સામે અને કેનાલની બાજુમાં બપોરના 12.40 કલાકના અરસામાં હિંસક હુમલાની ઘટના બનવા પામી હતી. હુમલાનો ભોગ બનનાર સલીમ ઉપર ચાર ઈસોમોએ બેઝબોલ દંડા અને લોખંડના પાઈપ વડે પગ અને હાથમાં ફટકા મારી ફેક્‍ચર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો અગાઉ બનેલી મારામારીની ઘટનાની અદાવત રાખી કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. પ્રારંભમાં હુમલો કરનાર જીમી ડાહયા મિષાએ સલીમની ગાડીને પાછળથી ટક્કર મારી વાતાવરણ તંગ બનાવ્‍યું હતું અને ગાડીની બહાર આવેલા સલીમ ઉપર બેઝબોલ દંડા વડે હુમલો કર્યો હતો. જે હુમલાના ભયથી સલીમ નહેર ઉપર ભાગી ગયો હતો. જ્‍યાં ચાર ઈસમોએ ભેગા મળી ઢોર માર માર્યો હોવાની ઘટના પોલીસના ચોપડે નોંધવા પામી છે. આ ઘટનામાં ફરિયાદના આધારે પોલીસ તંત્રએ ચાર ઈશમો 1. જીમી મિષા ડાહયા રહે.સરીગામ 2. નિયાઝ ચાંદ મોહમ્‍મદ મણીયાર રહે.વાપી 3. મેરાજ ઉર્ફે ગુડુ કુદરત ખાન રહે.વાપી અને 4. અજાણ્‍યો ઈસમ વિરુદ્ધ આઈપીસી 323, 325 294 (બે) 427, 506 (2), 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah

Leave a Comment