Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

વલસાડ રેલવે ગોદીમાં સેંકડો ટન અનાજનો જથ્‍થો ભીંજાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી સહિત વલસાડ જિલ્લામાં મેઘરાજાએ છેલ્લા આઠ-દશ દિવસથી વિરામ સાથે ચોમાસાએ વિદાય લીધી હતી. લોકોએ ઉત્‍સાહ પૂર્વક નવરાત્રિ મહોત્‍સવ પણ માણ્‍યો પરંતુ આજે બુધવારે ફરી વાપી, વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થઈ હતી. સતત બે કલાક વરસાદ વરસતા માંડ પાટે ચઢેલ જનજીવન પાછું આજે સાંજના 5 વાગ્‍યાથી છીન્ન-ભિન્ન થઈ ગયું હતું.
વલસાડ જિલ્લામાંથી વરસાદે ઉચાળા ભર્યા હોય તેવું લાગતું હતું. પરંતુ આવી લોકોની ધારણા આજે મેઘરાજાએ ખોટી ઠેરવી હતી. જો કે હવે તો કમોસમી જ ગણાય તેવા આજે વરસેલા વરસાદે સામાન્‍ય જનજીવન તો પ્રભાવિત કર્યું હતું. પરંતુ મોટી આડઅસર વલસાડ રેલવે ગોદીમાં થઈ હતી.સેંકડો ટન સરકારી અનાજનો જથ્‍થો હરિયાણા-પંજાબથી રેક દ્વારા આવેલો અને તેને એફ.સી.જી. ગોડાઉનમાં તદબીલ કરવાની રેલવે ગોદીમાં કામગીરી ચાલું હતી ત્‍યાં જ અચાનક વરસેલા વરસાદથી તમામ સેંકડો ટન અનાજનો જથ્‍થો ભીંજાઈને ખરાબ થઈ ગયો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

સરીગામની શાળાઓમાં યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રવેશોત્‍સવની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment