June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આજે મોડી રાત્રિના લગભગ એકાદ વાગ્‍યાના અરસામાં મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. આ ધરતી કંપના આંચકા દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાં પણ અનુભવાયા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી હતી. દાદરાનગર હવેલીના ખેરડી, સુરંગી, વેલુગામ, ખાનવેલ અને આજુબાજુના ગામોમાં અચાનક અનુભવાયેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સંઘપ્રદેશ ડિઝાસ્‍ટર વિભાગના જણાવ્‍યા પ્રમાણે ભૂકંપનું કેન્‍દ્રબિન્‍દુ મહારાષ્ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે હતું. જેની તીવ્રતા 3.5 રિક્‍ટર સ્‍કેલ હતી અને જેની અસર સેલવાસ સહિતના રખોલી, નરોલી, ખેરડી ગામના આજુબાજુના વિસ્‍તારોમાં પણ અનુભવાઈ હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા હતા જે દરમિયાન પણ દાનહના કેટલાક ગામોમાં હળવા આંચકા લોકોએ અનુભવ્‍યા હતા. વારેઘડીએ આવી રહેલ કુદરતી આપત્તિથી લોકોમાં ડરનો માહોલ ફેલાતો જઈ રહ્યો છે.

Related posts

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

Leave a Comment