Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આજે મોડી રાત્રિના લગભગ એકાદ વાગ્‍યાના અરસામાં મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. આ ધરતી કંપના આંચકા દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાં પણ અનુભવાયા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી હતી. દાદરાનગર હવેલીના ખેરડી, સુરંગી, વેલુગામ, ખાનવેલ અને આજુબાજુના ગામોમાં અચાનક અનુભવાયેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સંઘપ્રદેશ ડિઝાસ્‍ટર વિભાગના જણાવ્‍યા પ્રમાણે ભૂકંપનું કેન્‍દ્રબિન્‍દુ મહારાષ્ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે હતું. જેની તીવ્રતા 3.5 રિક્‍ટર સ્‍કેલ હતી અને જેની અસર સેલવાસ સહિતના રખોલી, નરોલી, ખેરડી ગામના આજુબાજુના વિસ્‍તારોમાં પણ અનુભવાઈ હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા હતા જે દરમિયાન પણ દાનહના કેટલાક ગામોમાં હળવા આંચકા લોકોએ અનુભવ્‍યા હતા. વારેઘડીએ આવી રહેલ કુદરતી આપત્તિથી લોકોમાં ડરનો માહોલ ફેલાતો જઈ રહ્યો છે.

Related posts

સરપંચ હંસાબેન ધોડીના અધ્‍યક્ષસ્‍થાને મળેલી પટલારા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગામમાંથી પસાર થનારી હાઈટેન્‍શન લાઈનનો કરાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

રાજ્યના ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 30 કરોડના ખર્ચે સરીગામ પ્લાસ્ટીક ઝોન અને સરોંડામાં 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment