October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આજે મોડી રાત્રિના લગભગ એકાદ વાગ્‍યાના અરસામાં મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. આ ધરતી કંપના આંચકા દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાં પણ અનુભવાયા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી હતી. દાદરાનગર હવેલીના ખેરડી, સુરંગી, વેલુગામ, ખાનવેલ અને આજુબાજુના ગામોમાં અચાનક અનુભવાયેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સંઘપ્રદેશ ડિઝાસ્‍ટર વિભાગના જણાવ્‍યા પ્રમાણે ભૂકંપનું કેન્‍દ્રબિન્‍દુ મહારાષ્ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે હતું. જેની તીવ્રતા 3.5 રિક્‍ટર સ્‍કેલ હતી અને જેની અસર સેલવાસ સહિતના રખોલી, નરોલી, ખેરડી ગામના આજુબાજુના વિસ્‍તારોમાં પણ અનુભવાઈ હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા હતા જે દરમિયાન પણ દાનહના કેટલાક ગામોમાં હળવા આંચકા લોકોએ અનુભવ્‍યા હતા. વારેઘડીએ આવી રહેલ કુદરતી આપત્તિથી લોકોમાં ડરનો માહોલ ફેલાતો જઈ રહ્યો છે.

Related posts

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

vartmanpravah

નવસારી જિલ્લાના વીસીઈ કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા ડીડીઓને આવેદનપત્ર પાઠવી હડતાલનું રણશિંગ ફૂંક્‍યું

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment