April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકાના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરેલ સોલાર પ્‍લેટના જથ્‍થા સાથે ઈકો કારમાં ત્રણ જેટલાને ગત તા.30મી સપ્‍ટેમ્‍બરના રોજ પીએસઆઇ સમીર કડીવાલા પોલીસ કર્મી મહેન્‍દ્રભાઈ સહિતના સ્‍ટાફ રાત્રી દરમ્‍યાન ચાસા ગામની સીમમાંથી ઝડપી પાડ્‍યા હતા અને ઇકોકાર સિવાય બામણવેલ ગામે સંતાડેલ સહિત રૂા.1.38 કરોડના સોલાર પ્‍લેટનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો.
બાદમાં બીજા દિવસે સ્‍થાનિક વધુ ચાર જેટલાને આ ચોરીના ગુનામાં ઝડપી લઈ તપાસમાં ગુનાની કડી રાજકોટ અને અમદાવાદ સુધી જોડાયેલ હોવાનું બહાર આવતા ત્‍યાંથી પણ એક એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્‍ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અમદાવાદથી ઝડપાયેલ આરોઇ દિલીપ છગન જાદવાણી ના કબ્‍જાની અમદાવાદ સ્‍થિત વિરાટ નગરમાં જલારામ કોમ્‍પ્‍લેક્ષ માં દુકાન ને ચાર માં તપાસ કરતા દુકાનમાંથી 72-જેટલા પુઠાના બોક્ષમાંથી રૂા.1,22,36,000/- કરોડનો સોલાર પ્‍લેટનો જથ્‍થો મળી આવતા તેનો કબ્‍જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી પોલીસે સોલાર પ્‍લેટ નો અત્‍યાર સુધીમાંરૂ.2,60,36,000/- કરોડનો જથ્‍થો રિકવર કર્યો છે.

Related posts

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

વરિષ્‍ઠ પી.આઈ. છાયા ટંડેલ દ્વારા દાનહમાં છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થાનું નિયમન કરનારા સ્‍કાઉટ ગાઈડના સ્‍વયં સેવકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment