April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

ખેડૂતો અને એપીએમસીના વેપારીઓને સાવચેતી સામે પગલા લેવા સતર્ક કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી તા.16/03/2023 થી તા.19/03/2023 દરમ્‍યાન વલસાડ જિલ્લામાં આકાશ મહદઅંશે વાદળછાયુ રહેવાની અને હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે, જે પરિસ્‍થિતિમાં ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની જરૂરી છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્‍પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્‍લાસ્‍ટિક/ તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અનેખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જણાવાયું છે. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમ્‍યાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયુ છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્‍તારના ખેતીવાડી વિભાગ/કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર અંભેટી/ કળષિ સંશોધન કેન્‍દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્‍ટરના ટોલ ફ્રી નંબર -18001801551નો સંપર્ક સાધવા વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

સામરવરણી ગ્રામ પંયાયતે ગંદકી ફેલાવનારાઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીઃ પંચાચત સેક્રેટરીએ બે ચાલીઓના 18 રૂમોનું વિજ જોડાણ કાપતા ફફડાટ

vartmanpravah

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment