December 1, 2025
Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના નરોલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના નરોલી ગામે રહેતા એક યુવાને પોતાની પત્‍નીની હત્‍યા કરી ફાંસો લગાવેલ હોવાની વાત ઉપજાવી પોલીસને જાણ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેની તપાસ દરમ્‍યાન જાણવા મળેલ કે પતિએ જ પત્‍નીનું ગળું દબાવી હત્‍યા કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દિપક વિશ્રામ યાદવ (ઉ.વ.24) રહેવાસી રૂમ નંબર 14, રાકેશ મહેન્‍દ્રસિંહ સોલંકીની ચાલ-નરોલી, મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ જેણે નરોલી પોલીસ ચોકીના કર્મચારીઓને જણાવેલ કે મારી પત્‍ની મોનીકા દેવી (ઉ.વ.20) જેઅમારા રુમની અંદર જ ફાંસી લગાવી આત્‍મહત્‍યા કરી લીધી છે. તેથી પોલીસની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચીને જોતા મૃતક મોનીકા દેવીના ગળામાં પીળા કલરનું કપડું બાંધેલ સંદિગ્‍ધ અવસ્‍થામાં ફર્શ પર પડેલ જોવા મળ્‍યું હતું. મૃતક મોનીકા દેવીની લાશનું પોસ્‍ટમોર્ટમ કર્યા બાદ મોતનું સાચું કારણ થ્રોટલિંગ હોવાનું જણાયું હતું.
આ ઘટના સંદર્ભે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આઈ.પી.સી. 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સેલવાસના એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉતે આરોપીની ધરપકડ કરી તપાસ દરમ્‍યાન પૂછપરછ કરતા મૃતકના પતિ દિપક વિશ્રામ યાદવ ઉપર શંકા જતાં આરોપી દિપક યાદવની વારંવાર પૂછતાછ કરતા તેણે પોતે ગુનો કર્યો હતો અને એણે પોતે જ પોતાની પત્‍ની મોનીકા દેવી યાદવની હત્‍યા ગળુ દબાવીને કરી હોવાનું કલુલ્‍યું હતું. આરોપી દિપક ઉત્તરપ્રદેશથી બે મહિના પહેલા પોતાની પત્‍નીને અહી નરોલી લાવ્‍યો હતો અને એમના પરિવાર સાથે પૈતૃક સ્‍થાનમાં પણ વિવાદ રહેતો હોવાનું જાણવા મળ્‍યું છે. આરોપી દિપક યાદવની ધરપકડ કરી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વાપી દમણગંગા નદીના કાંઠે વેસ્‍ટ કેમિકલ ડમ્‍પ કરનારા માફિયા કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્‍ધી

vartmanpravah

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્‍વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન

vartmanpravah

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment