Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.19: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના તલાવચોરા મોટા ફળીયા ખાતે રહેતા દીપ રમેશભાઈ કો.પટેલ (ઉ.વ.28) જે બુધવારની સવારના છએક વાગ્‍યાના સમય દરમ્‍યાન પોતાના ઘરની પાછળ ટેરેસની લોબીમાં કસરત કરવા જવાનું કહી ગયા હતા. બાદ અગમ્‍ય કારણોસર પતરાના શેડમાં લોખંડના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લી હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતાં તાત્‍કાલિક સારવાર અર્થે ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલમાંલઈ જતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ સંદીપભાઈ સુનિલભાઈ કો.પટેલ (ઉ.વ.42) (રહે. તલાવચોરા મોટા ફળીયા તા.ચીખલી) એ કરતા વધુ તપાસ હે. કોઅલ્‍પેશભાઈ નવનીતભાઈ કરી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ પોલીસની ગાંધીગીરીઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ચલાનની દંડાત્‍મક કાર્યવાહીની જગ્‍યાએ ગુલાબનું આપેલું ફૂલ

vartmanpravah

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

ચીખલી રાનકુવા ગ્રામ પંચાયતની બે-બે વખત નોટિસ છતાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ

vartmanpravah

Leave a Comment