April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
ચીખલી સ્‍થિત પોસ્‍ટ ઓફિસ ગ્રાહકોથી ધમધમતી રહે છે. હાલે છેલ્લા ત્રણ ચાર દિવસથી સર્વર અવાર નવાર ચાલુ બંધ થતાં કનેક્‍ટિવિટી ખોરવાતા પીએલાઆઈ, સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના, તમામ પ્રકારના બચત ખાતાને લગતા કામો માટે ગ્રાહકોએ ધક્કા ખાવાની નોબત આવી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી અવાર નવાર સર્વર ખોટકાતા ગ્રાહકો આંટાફેરા કરવા માટે લાચાર બન્‍યા છે. અને કર્મચારીઓ સાથે ઘર્ષણના સંજોગો ઉભા થવા પામ્‍યા છે.
એક તરફ પોસ્‍ટ ઓફિસમાં તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ કરી આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે કામના કલાકો દરમ્‍યાન પણ નિયમિત કનેક્‍ટિવિટી પુરી નથી પડાતી ત્‍યારે ખરેખર તો પોસ્‍ટ ઓફિસમાં સુવિધાઓ વધારવા સાથે જે હાલે સુવિધાઓ કાર્યરત છે તે વ્‍યવસ્‍થિત ચાલે અને ગ્રાહકોને હાલાકી ન પડે તે દિશામાં નિરાકરણ લવાઈ તેવી માંગ ગ્રાહકવર્ગમાં ઉઠી રહી છે. ચીખલી પોસ્‍ટ ઓફિસમાં પીએલઆઈ સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના, બચત ખાતા વિગેરેના હજ્‍જારો ગ્રાહક હશે તેવા સંજોગોમાં ગ્રાહકોને હાલાકી ન પડે તે પોસ્‍ટઓફિસના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા સુનિヘતિ કરવામાં આવે તે જરૂરી છે. બાકી આજે ઝડપી ઈન્‍ટરનેટના યુગમાં કનેક્‍ટિવિટી ડચકા ખાતી હોય તેને વહીવટી નિષ્‍ફળતા ગણવી કે બેદરકારી તે મોટો સવાલ ઉભો થવા પામ્‍યો છે.
સમરોલીના સંદિપ પટેલના જણાવ્‍યાનુસાર ચીખલી પોસ્‍ટ ઓફિસમાં પીએલઆઈ અને સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનાના પૈસા ભરવા જતા સવારે બંધ છે તેવો જવાબ મળતા અને પૈસા ભરવા માટે ધક્કા ખાવા પડે છે. આ માટે સ્‍થાનિક કર્મચારીને રજૂઆત કરી ફરિયાદ બુકમાં ફરિયાદ પણ નોંધી હતી.

Related posts

રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં દાનહના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા સની ભીમરાએ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મુંબઈ સુરતના નિષ્‍ણાત ડોક્‍ટરોની સેવા લેવા રજૂ કરેલો પ્રસ્‍તાવ

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

Leave a Comment