April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
ચીખલી સ્‍થિત પોસ્‍ટ ઓફિસ ગ્રાહકોથી ધમધમતી રહે છે. હાલે છેલ્લા ત્રણ ચાર દિવસથી સર્વર અવાર નવાર ચાલુ બંધ થતાં કનેક્‍ટિવિટી ખોરવાતા પીએલાઆઈ, સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના, તમામ પ્રકારના બચત ખાતાને લગતા કામો માટે ગ્રાહકોએ ધક્કા ખાવાની નોબત આવી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી અવાર નવાર સર્વર ખોટકાતા ગ્રાહકો આંટાફેરા કરવા માટે લાચાર બન્‍યા છે. અને કર્મચારીઓ સાથે ઘર્ષણના સંજોગો ઉભા થવા પામ્‍યા છે.
એક તરફ પોસ્‍ટ ઓફિસમાં તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ કરી આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે કામના કલાકો દરમ્‍યાન પણ નિયમિત કનેક્‍ટિવિટી પુરી નથી પડાતી ત્‍યારે ખરેખર તો પોસ્‍ટ ઓફિસમાં સુવિધાઓ વધારવા સાથે જે હાલે સુવિધાઓ કાર્યરત છે તે વ્‍યવસ્‍થિત ચાલે અને ગ્રાહકોને હાલાકી ન પડે તે દિશામાં નિરાકરણ લવાઈ તેવી માંગ ગ્રાહકવર્ગમાં ઉઠી રહી છે. ચીખલી પોસ્‍ટ ઓફિસમાં પીએલઆઈ સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના, બચત ખાતા વિગેરેના હજ્‍જારો ગ્રાહક હશે તેવા સંજોગોમાં ગ્રાહકોને હાલાકી ન પડે તે પોસ્‍ટઓફિસના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા સુનિヘતિ કરવામાં આવે તે જરૂરી છે. બાકી આજે ઝડપી ઈન્‍ટરનેટના યુગમાં કનેક્‍ટિવિટી ડચકા ખાતી હોય તેને વહીવટી નિષ્‍ફળતા ગણવી કે બેદરકારી તે મોટો સવાલ ઉભો થવા પામ્‍યો છે.
સમરોલીના સંદિપ પટેલના જણાવ્‍યાનુસાર ચીખલી પોસ્‍ટ ઓફિસમાં પીએલઆઈ અને સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનાના પૈસા ભરવા જતા સવારે બંધ છે તેવો જવાબ મળતા અને પૈસા ભરવા માટે ધક્કા ખાવા પડે છે. આ માટે સ્‍થાનિક કર્મચારીને રજૂઆત કરી ફરિયાદ બુકમાં ફરિયાદ પણ નોંધી હતી.

Related posts

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

નેશનલ હાઈવે 48 પર ખાડો બચાવવાના પ્રયાસમાં તલાસરી પાસે કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્‍પો સાથે ધડાકાભેર ટકરાતા સેલવાસના બે યુવાનોના કરૂણ મોત

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment