(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક યુવાને ગળે ફાંસો લઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોળસુંબાના મંદિર ફળિયામાં રહેતા કિશનકુમાર યમુના પ્રસાદ ભાર્ગવ (ઉંમર વર્ષ 22, મૂળ રહે યુપી)એ આજરોજ વિએનપી કંપની સામેની જગ્યામાં એક ઝાડ પર ગળે ફાંસો લઈ આત્મહત્યા કરી હતી.
ઘટનાની જાણથી સ્થાનિક પોલીસ તંત્ર સ્થળ ઉપર ઘસી આવી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં યુવાનની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.