Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્‍ટરનું ઈ-લોકાર્પણ કર્યુ

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ્‌ હસ્‍તે સિટી સિવિક સેન્‍ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે ખુલ્લુ મુકાયું

માજી વડાપ્રધાન સ્‍વ.અટલબિહારી વાજપેયી રાજનેતા નહિં પરંતુ લોકનેતા હતા : મંત્રી કનુભાઈ દેસાઈ

સ્‍વ.વાજપેઈના લોકકલ્‍યાણના વિચારો અમલમાં મૂકી તેમની જન્‍મજયંતિના દિવસે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. : મંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: આજના સુશાસન દિવસે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ગુજરાત અર્બન ડેવલોપમેન્‍ટ મિશન અંતર્ગત રાજ્‍યના છ ઝોન ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત ઝોનના વાપી નગરપાલિકાના ચલા ઝોનના સિવિક સેન્‍ટરનીસાથોસાથ 34 જેટલા સિવિક સેન્‍ટરોનું ઈ-લોકાર્પણ કર્યુ હતું.
દેશના માજી વડાપ્રધાન સ્‍વ.શ્રી અટલબિહારી વાજપેઇના લોકકલ્‍યાણના વિચારોને અમલમાં મૂકી તેમની જન્‍મજયંતિ તા.25 મી ડિસેમ્‍બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપી નગરપાલિકાના ચલા ઝોન ખાતે સિવિક સેન્‍ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે સિવિક સેન્‍ટર ખુલ્લું મૂકતાં જણાવ્‍યું હતું.
આ પ્રસંગે નાણાંમંત્રીશ્રી કનુભાઈએ જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્‍યા પછી ગુજરાતના વિકાસ માટે અનેક યોજના બનાવી જેમાં શાળા પ્રવેશોત્‍સવ, કળષિ મહોત્‍સવ, વનબંધુ અને સાગરખેડૂ માટેની યોજના હોય, આ બધી યોજના જુદા જુદા સમયે જુદા જુદા લોકોને એનો સીધો ફાયદો થાય તે માટે અમલીકરણ કરવામાં આવી. દેશના વડાપ્રધાન બન્‍યા પછી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકોના બેંકના ખાતા જનધન યોજનામાં ખોલાવીને લોકોને ડી.બી.ટી.ના માધ્‍યમથી તેમના લાભો અપાવી વચેટિયાઓ નાબૂદ કર્યા, સરકાર જ્‍યારે બજેટ બનાવે ત્‍યારે સરકાર દરેક વર્ગના લોકોની યોજનાઓનું અમલીકરણ કરે છે. આજના સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલદ્વારા રાજ્‍યના લોકોને સેવાનો સો ટકા લાભ મળે એ માટે સિવિક સેન્‍ટર ઊભા કરવામાં આવ્‍યા છે. આ સિવિક સેન્‍ટર ખાતે લોકોને એક જ જગ્‍યાએથી તમામ યોજનાઓની જાણકારી અને લાભ મળી રહે તે માટે ઊભા કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્‍યના માહિતી વિભાગ અને એન.આઇ.સી. દ્વારા બનાવાયેલા આજથી મારી યોજના પોર્ટલને ખૂલ્લું મૂક્‍યું છે. જેમાં કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની 680 થી વધુ યોજનાઓની માહિતી ઉપલબ્‍ધ થશે. આ પોર્ટલની મદદથી રાજ્‍યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે અને યોજનાઓનો લાભ પારદર્શક અને સરળતાથી મેળવી શકશે.
જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં રાજ્‍ય સરકાર દ્વારા આજથી શરૂ થયેલા સિવિક સેન્‍ટરની જાણકારી આપી આ વિસ્‍તારના લોકોને આ સેન્‍ટરનો લાભ લેવા જણાવ્‍યું હતું. આ સુશાસન દિવસની ઉજવણી દેશના વડાપ્રધાન અને તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ 2001 થી શરૂ કરી છે. આ વર્ષે કેન્‍દ્ર સરકારે સુશાસન સપ્તાહની શરૂઆત કરી છે. લોકોની મુશ્‍કેલીઓ ઓછામાં ઓછી થાય અને જલદીથી જલદી હલ થાય તે સુશાસનનો ઉદે્‌શ છે.

આ સિવિક સેન્‍ટરમાં વાપીના નગરજનોને મિલકત વેરાની ચૂકવણી, મિલકત વેરાનીઆકારણી, મિલકત વેરાની રસીદ, વ્‍યવસાય નોંધણી પ્રમાણપત્ર, ગુમાસ્‍તાધારા નોંધણી પ્રમાણપત્ર, જન્‍મ/મરણ નોંધણી પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, ફરિયાદ નોંધણી, બાંધકામની રજા ચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન વાપીના ચીફ ઓફિસર કોમલબેન ધીનૈયા અને આભારવિધી વાપની નગરપાલિકાના કારોબારી ચેરમેન મનોજભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા વાપીના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઈ, પારડીના પ્રાંત અધિકારીશ્રી નિરવ પટેલ, વાપી શહેર મામલતદાર શ્રીમતી કલ્‍પનાબેન પટેલ, ગ્રામ્‍ય મામલતદારશ્રી નવીનભાઈ ચૌરા તેમજ વાપી નગરપાલિકાના અધિકારી અને કમર્ચારીઓ તથા વાપીના નગરજનો હાજર રહ્યા હતા.

Related posts

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

Leave a Comment