January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીવલસાડવાપી

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

દક્ષિણ ઝોન ભાજપની યોજાયેલ મહત્‍વાકાંક્ષી બેઠકમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત પ્રધાનો, સાંસદ સભ્‍યો, ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી જાહેર થવાના આડે ગણતરીના દિવસો અને કલાકો રહ્યા હોવાથી ભાજપ માટે 2022ની સામાન્‍ય ચૂંટણી પ્રતિષ્‍ઠાનો જંગ બની રહ્યાના એંધાણો વર્તાવા શરૂ થઈ ગયા છે તે અંતર્ગત આજે શનિવારે વલસાડ, ધરમપુર ચોકડી કડવા પાટીદાર સમાજ હોલમાં ભાજપની હાઈકમાન્‍ડ નેતાઓની ઉપસ્‍થિતિમાં ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું હતું.
વલસાડ ખાતે યોજાયેલ ભાજપના દક્ષિણ ઝોનના આ કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકા સહિત સાત જિલ્લાનું ડેલીગેશન ઉપસ્‍થિત રહ્યું હતું. કાર્યક્રમ કેન્‍દ્રીય ગૃહમંત્રી અને ચૂંટણી નિતીકાર અમીત શાહની રાહબરી હેઠળ યોજાયું હતું. જેમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ,રાજ્‍ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ સાંસદો, ધારાસભ્‍યો, જિ.પં., તા.પં.ના પ્રમુખો જેવા ખાસ ઈન્‍વાયટી મીટિંગમાં ઉપસ્‍થિત રહ્યા હતા. પક્ષના પ્રમુખો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. મીટિંગ અતિ મહત્‍વકાંક્ષી એટલા માટે બની રહી હતી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોને કોને ટિકિટ આપવી તેની સેન્‍સ લેવાઈ હતી. કારણ કે આ ચૂંટણી ભાજપ માટે અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી માટે પણ અતિ મહત્ત્વની પુરવાર થનાર છે. 2024ની લોકસભાની ચૂંટણી ઉપર ગુજરાતની ચૂંટણીની અસર અચુક થવાની છે. તેથી ભાજપ હાઈકમાન્‍ડે ગુજરાતની ચૂંટણીમાં વિજય અંકે કરવા માટે યુધ્‍ધના ધોરણે તૈયારીઓ આરંભી દીધી છે તેથી આજની ભાજપ દક્ષિણ ઝોનની મીટિંગ ઘણી અગત્‍યની બની રહી હતી. કોને કોને ટિકિટ મળશે તેનુ હોમવર્ક પણ આજે હાથ ધરાયું હતું. ચૂંટણી જાહેર થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના ભાજપના ઉમેદવારોની એક સાથે જ યાદી જાહેર થઈ જશે.

Related posts

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

Leave a Comment