Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ભાજપનો ગઢ ગણાતા વિસ્‍તારમાં જ ભાજપ વિરૂધ્‍ધ બહિષ્‍કારના પોસ્‍ટરો લાગ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દના મહાદેવ ફળિયા અને ખરોલી બારોલીયા ફળિયામાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો નોકરીઓ તેમજ પ્રોજેક્‍ટમાં ઘોર અન્‍યાય સામે ભાજપનો બહિષ્‍કાર કરશે તેવા બેનરો મુકવામાં આવ્‍યા છે રાનવેરી ખુર્દમાં બે બેનરો અને ખરોલીમાં ચાર જેટલા બેનરો ભાજપના બહિષ્‍કારના જોવા મળી રહ્યા છે.
રાનવેરી ખુર્દ અને ખરોલીમાં કોઈપણ સંગઠન આગેવાનના નામ વિના બેનરો ખરેખર કોણે લગાવ્‍યા તે તપાસનો વિષય છે. પરંતુ આસમગ્ર મામલે ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે આ બેનરો આદિવાસી સમાજને ભાજપ વિરુદ્ધ ઉશ્‍કેરી આવનારી ચૂંટણીમાં તેનો રાજકીય લાભ ખાટવાના હેતુથી કોઈ રાજકીય પક્ષ કે આગેવાનોના ઈશારે લગાવવામાં આવ્‍યા છે, સહિત સમગ્ર બાબતે પોલીસ દ્વારા તટસ્‍થ તપાસ હાથ ધરી આ બેનરો લગાવવામાં પડદા પાછળ કોણ છે તે હકીકત બહાર લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. જોકે ભાજપના બહિષ્‍કારના બેનરો ને લઈ આ વિસ્‍તારમાં રાજકીય વાતાવરણ ગરમાવા પામ્‍યું છે.

Related posts

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

Leave a Comment