September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ભાજપનો ગઢ ગણાતા વિસ્‍તારમાં જ ભાજપ વિરૂધ્‍ધ બહિષ્‍કારના પોસ્‍ટરો લાગ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દના મહાદેવ ફળિયા અને ખરોલી બારોલીયા ફળિયામાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો નોકરીઓ તેમજ પ્રોજેક્‍ટમાં ઘોર અન્‍યાય સામે ભાજપનો બહિષ્‍કાર કરશે તેવા બેનરો મુકવામાં આવ્‍યા છે રાનવેરી ખુર્દમાં બે બેનરો અને ખરોલીમાં ચાર જેટલા બેનરો ભાજપના બહિષ્‍કારના જોવા મળી રહ્યા છે.
રાનવેરી ખુર્દ અને ખરોલીમાં કોઈપણ સંગઠન આગેવાનના નામ વિના બેનરો ખરેખર કોણે લગાવ્‍યા તે તપાસનો વિષય છે. પરંતુ આસમગ્ર મામલે ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે આ બેનરો આદિવાસી સમાજને ભાજપ વિરુદ્ધ ઉશ્‍કેરી આવનારી ચૂંટણીમાં તેનો રાજકીય લાભ ખાટવાના હેતુથી કોઈ રાજકીય પક્ષ કે આગેવાનોના ઈશારે લગાવવામાં આવ્‍યા છે, સહિત સમગ્ર બાબતે પોલીસ દ્વારા તટસ્‍થ તપાસ હાથ ધરી આ બેનરો લગાવવામાં પડદા પાછળ કોણ છે તે હકીકત બહાર લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. જોકે ભાજપના બહિષ્‍કારના બેનરો ને લઈ આ વિસ્‍તારમાં રાજકીય વાતાવરણ ગરમાવા પામ્‍યું છે.

Related posts

કેન્‍દ્રીય મંત્રી ફગ્‍ગનસિંઘ કુલાસ્‍તેએ દાનહ લોકસભા બેઠક માટે 2024ની તૈયારીની કરેલી સમીક્ષાઃ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથેકરેલું મનન-મંથન

vartmanpravah

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે જિલ્લા કારોબારીની મીટીંગ યોજાઈ: વલસાડમાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્‍ચાર કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

Leave a Comment