January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં કાર્યકોરની મીટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આગામી તા.06 નવેમ્‍બરનેરવિવારના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જાહેરસભા યોજાનાર છે તેથી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે બુધવારે જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામમાં સમાંતર ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી.
ધરમપુરમાં શ્રીમંત મહારાણા પ્રતાપ હોલમાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની અધ્‍યક્ષતામાં કાર્યકરોની બેઠક યોજાઈ હતી. તા.06 નવેમ્‍બરના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં યોજાનારી જાહેર સભાની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ધરમપુરની સાથે આજે કપરાડામાં મંત્રી જીતુભાઈ ચૌધરી, પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉમરગામમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય રમણલાલ પાટકર કાર્યકરો સાથે સમાંતર બેઠકો યોજી રહ્યા છે. વલસાડમાં આજે રાતે કે આવતીકાલ ગુરૂવારે બેઠક યોજાશે. શ્રી કંસારાએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનની જાહેર સભામાં 50 હજાર ઉપરાંત લોકો પધારશે અને તેમને લાવવા-લઈ જવાની સુવિધાનું આયોજન શરૂ કરી દેવાયું છે. ધરમપુરની બેઠકમાં પ્રભારી શિતલબેન સોની, મહામંત્રી મહેન્‍દ્રભાઈ, ન.પા. પ્રમુખ જોસ્‍નાબેન, તા.પં. પ્રમુખ રમીલાબેન સહિત વિશાળ સંખ્‍યામાં કાર્યકરો અને સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્‍કૂલના એથ્‍લેન્‍ટિકસ સ્‍પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને હાફ પેન્‍ટ તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment