December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

પારડી માટે કેતન પટેલ, ધરમપુરમાં કમલેશ પટેલ, કપરાડા જયેન્‍દ્ર ગાંવિતની પસંદગી, વલસાડ બેઠક માટે અગાઉ રાજુ મરચાને ટિકિટ અપાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત વિધાનસભાની ગમે તે ઘડીએ ચૂંટણી તારીખ જાહેર થઈ શકે છે. એ પહેલા વલસાડ જિલ્લાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો માટે આપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. ઉમેદવારો નક્કી કરવાની હોડમાં આપ આગળ રહેલ છેજ્‍યારે કોંગ્રેસ ભાજપ દ્વારા હજુ સુધી કોઈ અણસાર અપાયો નથી. આપ દ્વારા વલસાડ, પારડી, કપરાડા, ધરમપુર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. એકમાત્ર ઉમરગામની બેઠક માટે હજુ સુધી જાહેરાત કરાઈ નથી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ યોજેલ પત્રકાર પરિષદમાં ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી હતી. જેમાં 22 ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવાર પારડી, કપરાડા અને ધરમપુર બેઠકો માટે ડીક્‍લેર કર્યા હતા. ગઈકાલે કરેલ પાર્ટીની જાહેરાત મુજબ પારડીની બેઠક ઉપર વાપી તા.પં.ના પૂર્વ પ્રમુખ અને ભાજપમાંથી આપમાં કુદકો મારનાર કેતન પટેલને ટિકિટ અપાઈ છે. સંભવત તેઓ ભાજપના ઉમેદવાર કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સામે ચૂંટણી લડશે. એ પ્રમાણે કપરાડાની બેઠક ઉપર આદિવાસી નેતા જયેન્‍દ્ર ગાંવિતને ટિકિટ અપાઈ છે. તેઓ સંભવત પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સામે ચૂંટણી લડશે જ્‍યારે ધરમપુરની બેઠક ઉપર આદિવાસી એકતા સમિતિ પ્રમુખ કમલેશ પટેલને ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ બેઠક માટે અગાઉ રાજુ મરચાને ટિકિટ અપાઈ ચૂકી છે એટલે કે વિધાનસભાની જિલ્લાની પાંચ બેઠકો પૈકી ઉમરગામ સિવાય ચાર બેઠકો અનુક્રમે વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડા માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

Related posts

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

vartmanpravah

વલસાડની મહિલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવો

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

Leave a Comment