(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.07: દીવ ના ઘોઘલા ગણેશ નગર ખાતે સ્થિત કમ્યુનિટી હોલમાં નિઃશુલ્ક આયુષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ કેમ્પમાં દર્દીઓને સંપૂર્ણ આયુર્વેદિક પધ્ધતિથી દર્દીઓને સારવાર આપવામાં આવી. આ કેમ્પમાં જુના સાંધાના દુખાવા, ચામડીના તમામ રોગ,સ્ત્રી રોગો, વ્યસન મુક્તિની સારવાર, ગુપ્ત રોગની સારવાર વગેરેનું નિદાન ડો.શાહનવાઝ,વી.મનસુરી અને ડો.સમીયા.એસ. મન્સુરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.