(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આજરોજ વાપી શહેર સંગઠન દ્વારાપુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી શહેર સંગઠનના અધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પુષ્પાંજલિ કાર્યક્રમ વખતે વાપી નગરપાલિકાના ઉપાધ્યક્ષ શ્રી અભયભાઈ શાહ, વાપી સંગઠનના મહામંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણી, શ્રી ભવલેષભાઈ કોટડીયા, નગરપાલિકા પૂર્વ અધ્યક્ષ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, ચૂંટાયેલા સભ્યો શ્રી જયેશભાઈ કંસારા, શ્રી દિલીપ યાદવ, શ્રીમતી અપેક્ષાબેન શાહ, શ્રીમતી મનીષાબેન મહેતા, મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી ફાલ્ગુનીબેન મહારાજ, શ્રીમતી અરૂણાબેન, શ્રી ઈકબાલ સિદ્દીકી, શ્રી અમિત પ્રજાપતિ, શ્રી ઈશ્વરભાઈ સહિત કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આભારવિધિ એસ.સી. મોરચાના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર શ્રી અજીતભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી.