April 19, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: આજે જલારામ બાપ્‍પાની 223મી જયંતિ નિમિતે દાદરા નગર હવેલીમાં સંત શ્રી જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્‍થળોએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલ ફળિયા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર, નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર, દાદરા જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાનદરેક મંદિરોમાં સત્‍યનારાયણની કથા સાથે ભજન-કિર્તન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રધ્‍ધાળુઓએ મોટાપ્રમાણમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. સામરવરણી પટેલ ફળીયા જલારામ મંડળ દ્વારા યોજાયેલા ભંડારામાં ભાવિક ભક્‍તોએ ઉત્‍સાહથી લાભ લીધો હતો. દાનહના દરેક જલારામ મંદિર અને મંડળોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે ભજન-કિર્તન તથા કથાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

Leave a Comment