October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: આજે જલારામ બાપ્‍પાની 223મી જયંતિ નિમિતે દાદરા નગર હવેલીમાં સંત શ્રી જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્‍થળોએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલ ફળિયા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર, નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર, દાદરા જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાનદરેક મંદિરોમાં સત્‍યનારાયણની કથા સાથે ભજન-કિર્તન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રધ્‍ધાળુઓએ મોટાપ્રમાણમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. સામરવરણી પટેલ ફળીયા જલારામ મંડળ દ્વારા યોજાયેલા ભંડારામાં ભાવિક ભક્‍તોએ ઉત્‍સાહથી લાભ લીધો હતો. દાનહના દરેક જલારામ મંદિર અને મંડળોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે ભજન-કિર્તન તથા કથાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

દમણ પોલીસે 3 જેટલા બાર અને રેસ્‍ટોરન્‍ટમાં છાપો મારી ગેરકાયદે ચાલતા ઝડપેલા હુક્કાબાર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

વાપીમાં પ્રખર આંબેડકર વાદી સ્‍વ. ભીમરાવ કટકે ની શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા યોજાઈ

vartmanpravah

મોકલસર ના કચ્‍છવાહ પરિવાર અને શક્‍તિ ગ્રૂપ દ્વારા વાપીમાં ચણોદ સ્‍થિત રાજસ્‍થાન ભવનમાં વિશાળ રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment