(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: આજે જલારામ બાપ્પાની 223મી જયંતિ નિમિતે દાદરા નગર હવેલીમાં સંત શ્રી જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્થળોએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલ ફળિયા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર, નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર, દાદરા જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાનદરેક મંદિરોમાં સત્યનારાયણની કથા સાથે ભજન-કિર્તન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રધ્ધાળુઓએ મોટાપ્રમાણમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. સામરવરણી પટેલ ફળીયા જલારામ મંડળ દ્વારા યોજાયેલા ભંડારામાં ભાવિક ભક્તોએ ઉત્સાહથી લાભ લીધો હતો. દાનહના દરેક જલારામ મંદિર અને મંડળોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ભજન-કિર્તન તથા કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.