July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

બસ સપ્તશ્રૃંગી માતાજીના મંદિરે જતી હતી ત્‍યારે મહારાષ્‍ટ્રની હદમાં સર્જાયેલ અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સાપુતારા નજીક મહારાષ્‍ટ્રની હદમાં આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરે જઈ રહેલી બસ અચાનક ચાલકે ઘાટ ઉપર સ્‍ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા કરુણ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં એક મહિલાનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.
સાપુતારા નજીક મહારાષ્‍ટ્રની હદમાં મહારાષ્‍ટ્ર પરિવહનની એસટી બસ આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરેજઈ રહી હતી ત્‍યારે ઘાટ ઉપર ચાલકે કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. ચિક્કાર ભરેલી બસમાં લોકો ચિસાચીસ પાડી ઉઠયા હતા. જો કે અકસ્‍માતમાં એક મહિલાનું કરુણ મોત થયું હતું તેમજ અન્‍ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એમ્‍બ્‍યુલન્‍સો દ્વારા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

Related posts

કપરાડામાં કૃષિ સખી અને પશુ સખી ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

Leave a Comment