બસ સપ્તશ્રૃંગી માતાજીના મંદિરે જતી હતી ત્યારે મહારાષ્ટ્રની હદમાં સર્જાયેલ અકસ્માત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: સાપુતારા નજીક મહારાષ્ટ્રની હદમાં આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરે જઈ રહેલી બસ અચાનક ચાલકે ઘાટ ઉપર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા કરુણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
સાપુતારા નજીક મહારાષ્ટ્રની હદમાં મહારાષ્ટ્ર પરિવહનની એસટી બસ આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરેજઈ રહી હતી ત્યારે ઘાટ ઉપર ચાલકે કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. ચિક્કાર ભરેલી બસમાં લોકો ચિસાચીસ પાડી ઉઠયા હતા. જો કે અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત થયું હતું તેમજ અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એમ્બ્યુલન્સો દ્વારા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.