June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાતમાં ગામના સર્વગ્રાહી વિકાસની આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 07 : નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં ડેલકર જૂથના જનતા દળ (યુ) અને શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા સમસ્‍ત નરોલી ગ્રામ પંચાયતમાં હવે ફક્‍ત ભાજપનો ઝંડો જ લહેરાવા લાગ્‍યોછે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક સમયે ડેલકર પરિવારના ખાસ સમર્થક રહેલા નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ, પંચાયત સભ્‍ય શ્રીમતી પૂર્વી ગૌતમસિંહ ગોહિલ સહિત તમામ સભ્‍યોએ પંચાયતના સર્વાંગી વિકાસ માટે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
આજે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં નરોલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં નરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષ શ્રીમતી પ્રીતિબેન દોડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશસિંહ સોલંકી, અનુ.જાતિ મોર્ચાના ઉપ પ્રમુખ શ્રીમતી નૈમિતા માર્ગે, પૂર્વ સભ્‍ય રંજન સોલંકી, ઉજ્જવલ સોલંકી, કિસાન મોર્ચાના શ્રી રાજુભાઈ સહિત ગ્રામ પંચાયતના સક્રિય સભ્‍યો સામેલ હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની અત્‍યંત વ્‍યસ્‍તતા વચ્‍ચે સમય ફાળવી નરોલી ગ્રામ પંચાયતની નાનામાં નાની વાતોની કાળજી રાખી સર્વગ્રાહી વિકાસ કેવી રીતે કરવો તેની સમજ આપી હતી. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિતના નવાંગતુક સભ્‍યો પ્રશાસકશ્રીનીદરેક ગામના વિકાસ પ્રત્‍યેની અંગત લાગણી અને તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોથી ખુબ જ પ્રભાવિત થયા હતા.

Related posts

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

દમણ ભાજપ કાર્યાલયમાં કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનું દબદબાભેર કરાયેલું અભિવાદન: સંઘપ્રદેશમાં ઔદ્યોગિક રોકાણવધારવા પ્રયાસ કરવા મંત્રીશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

Leave a Comment