February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

દમણવાડા પંચાયત દ્વારા પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્‍યે આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાયોગિક ધોરણે પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેની કડીમાં આજે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બારિયાવાડ વિસ્‍તારના ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને ખેતરના થોડા હિસ્‍સામાં પ્રાકૃત્તિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દમણવાડા પંચાયત વિસ્‍તારના પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્‍યે આપવામાં આવશે.
આ પ્રસંગે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરના કેટલાક હિસ્‍સામાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃત્તિક ખેતી કરવા પોતાની તૈયારી દર્શાવી હતી. દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 જેટલા ખેડૂતોની ઓળખ કરી તેમને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ અભિયાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, એકાઉન્‍ટન્‍ટ શ્રીરોહિત ગોહિલ, જુનિયર એન્‍જિનિયર શ્રી વિપુલ રાઠોડ તથા સ્‍ટાફનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

Related posts

નવસારી જિલ્લા સેવા સદન ખાતે ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્‍ડ ધ ક્‍લોક કાર્યરત

vartmanpravah

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah

દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં દીવ જિલ્લાના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ કિરીટભાઈ વાજાના નેતૃત્‍વમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીમાં મહિલા જીઆરડીએ કોન્‍સ્‍ટેબલ ઉપર બળાત્‍કારનો આરોપ મુકતા ચકચાર

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

vartmanpravah

Leave a Comment