Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત રસાયણ બનાવતા કારખાનાઓની બદમાશીનુ અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે ખતલવાડની ટોકરખાડીમાં આવેલા નવા નિરમાં કેમિકલ યુક્‍ત અને દુર્ગંધ મારતા હોવાનું નજરે આવતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે રોષ સાથે નારાજગી વ્‍યાપી જવા પામી છે. ટોકરખાડીનું ઉદ્ભવ સ્‍થાન સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થાય છે. સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કેટલીક બદમાશ કંપનીઓ નિયમિતપણે ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી હોય છે. નિકાલ કરવામાં આવેલું આ પ્રદૂષિત પાણી સરીગામ અને માંડા ત્‍યારબાદ વંકાસ અનેખતલવાડ થઈ  તડગામના દરિયા કિનારાને મળે છે. પસાર થયેલી આ ખાડીમાં ઘણી જગ્‍યાએ એકત્રિત થયેલો પ્રદૂષિત પાણીનો જથ્‍થો જોવા મળે છે. કંપનીઓ દ્વારા આ પ્રમાણેની કરવામાં આવતી બદમાસીનું વારંવાર ધ્‍યાન દોરવામાં આવે છે. પરંતુ પગલાં ભરવાની જવાબદારી નિભાવતા જીપીસીપીના પ્રાદેશિક અધિકારી કંપનીઓનો વાંકો વાળ કરી શકતા નથી. દર મહિને જીપીસીપી દ્વારા યોજવામાં આવતુ ઓપન હાઉસ માત્ર ફારસ છે. કારણ આ પ્રકારની બદમાશી કરતા કે આવી કંપનીઓને સાચવવાનું કામ કરતા એસઆઈએના અગ્રણીઓ સ્‍ટેજ ઉપર બેસીને પીઠબળ પૂરું પાડતા હોય છે. આ સમસ્‍યા ધીરે ધીરે ગંભીર અને વિકરાળ બની રહી છે. જેની પ્રજાએ નોંધ લેવાની આવશ્‍યકતા છે. આજરોજ ખતલવાડ પંચાયતના સભ્‍ય શ્રી ભદ્રેશભાઈ પંચાલ અને ગ્રામજનો સ્‍થળ ઉપર પહોંચી ટોકરખાડીમાંથી પસાર થયેલું પ્રદૂષિત પાણીના નમુના એકત્રિત કરી ભારે નારાજગી વ્‍યક્‍તિ કરી હતી. આ ઘટનાને પગલે કાંઠા વિસ્‍તારની તમામ પ્રજામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થયેલી નહેર જેનું પાણી ખેતર અને પીવા માટે વપરાય છે એને પણ છોડવામાં આવતી નથી એની પણ નોંધ લેવી આવશ્‍યક જણાવી રહી છે.

Related posts

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment