October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત રસાયણ બનાવતા કારખાનાઓની બદમાશીનુ અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે ખતલવાડની ટોકરખાડીમાં આવેલા નવા નિરમાં કેમિકલ યુક્‍ત અને દુર્ગંધ મારતા હોવાનું નજરે આવતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે રોષ સાથે નારાજગી વ્‍યાપી જવા પામી છે. ટોકરખાડીનું ઉદ્ભવ સ્‍થાન સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થાય છે. સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કેટલીક બદમાશ કંપનીઓ નિયમિતપણે ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી હોય છે. નિકાલ કરવામાં આવેલું આ પ્રદૂષિત પાણી સરીગામ અને માંડા ત્‍યારબાદ વંકાસ અનેખતલવાડ થઈ  તડગામના દરિયા કિનારાને મળે છે. પસાર થયેલી આ ખાડીમાં ઘણી જગ્‍યાએ એકત્રિત થયેલો પ્રદૂષિત પાણીનો જથ્‍થો જોવા મળે છે. કંપનીઓ દ્વારા આ પ્રમાણેની કરવામાં આવતી બદમાસીનું વારંવાર ધ્‍યાન દોરવામાં આવે છે. પરંતુ પગલાં ભરવાની જવાબદારી નિભાવતા જીપીસીપીના પ્રાદેશિક અધિકારી કંપનીઓનો વાંકો વાળ કરી શકતા નથી. દર મહિને જીપીસીપી દ્વારા યોજવામાં આવતુ ઓપન હાઉસ માત્ર ફારસ છે. કારણ આ પ્રકારની બદમાશી કરતા કે આવી કંપનીઓને સાચવવાનું કામ કરતા એસઆઈએના અગ્રણીઓ સ્‍ટેજ ઉપર બેસીને પીઠબળ પૂરું પાડતા હોય છે. આ સમસ્‍યા ધીરે ધીરે ગંભીર અને વિકરાળ બની રહી છે. જેની પ્રજાએ નોંધ લેવાની આવશ્‍યકતા છે. આજરોજ ખતલવાડ પંચાયતના સભ્‍ય શ્રી ભદ્રેશભાઈ પંચાલ અને ગ્રામજનો સ્‍થળ ઉપર પહોંચી ટોકરખાડીમાંથી પસાર થયેલું પ્રદૂષિત પાણીના નમુના એકત્રિત કરી ભારે નારાજગી વ્‍યક્‍તિ કરી હતી. આ ઘટનાને પગલે કાંઠા વિસ્‍તારની તમામ પ્રજામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થયેલી નહેર જેનું પાણી ખેતર અને પીવા માટે વપરાય છે એને પણ છોડવામાં આવતી નથી એની પણ નોંધ લેવી આવશ્‍યક જણાવી રહી છે.

Related posts

દાનહ જિલા પંચાયત પ્રમુખ નિશા ભવરે રખોલી ગ્રામ પંચાયતની લીધેલી મુલાકાત

vartmanpravah

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment