January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને વાઘછીપાના સભ્‍ય પ્રવિણભાઈ પટેલની રજૂઆત બાદ કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતે લીધેલી સ્‍થળની મુલાકાતઃ સમસ્‍ત દાનહના મુખ્‍ય રસ્‍તાઓની કાયાપલટનું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 08 : દાદરા નગર હવેલીના વાઘછીપા ગામનો મુખ્‍ય રોડ જે ચોમાસા અગાઉથી જ જર્જરિત હતો અને મોટા મોટા ખાડાઓ પડેલા હતા, જે સંદર્ભે અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાંપણ તેનો યોગ્‍ય ઉકેલ કાઢવામાં આવ્‍યો ન હતો. તેથી ફરી સેલવાસ નગરપાલિકાના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયતના વાઘછીપાના સભ્‍ય શ્રી પ્રવિણભાઈ પટેલ ઉર્ફે લાલાએ વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તાનું તાત્‍કાલિક ધોરણે નવીનિકરણ કરવા માટે કલેક્‍ટર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેના અનુસંધાનમાં કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવત અને એમની પૂરી ટીમ, જિલ્લા પંચાયતના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, પીડબ્‍લ્‍યુડી વિભાગના અધિકારીઓ સાથે મળીને વાઘછીપાના ખખડધજ રસ્‍તાનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.
કલેક્‍ટરશ્રીએ વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. ત્‍યારબાદદાદરા અને નગર હવેલીના અન્‍ય ખરાબ રસ્‍તાઓ જેમકે રખોલી, સાયલી અને મસાટના રસ્‍તાઓની પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને કલેક્‍ટરે આશ્વાસન આપ્‍યું હતું કે તાત્‍કાલિક ધોરણે આ તમામ રસ્‍તાઓ બનાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

vartmanpravah

Leave a Comment