March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને વાઘછીપાના સભ્‍ય પ્રવિણભાઈ પટેલની રજૂઆત બાદ કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતે લીધેલી સ્‍થળની મુલાકાતઃ સમસ્‍ત દાનહના મુખ્‍ય રસ્‍તાઓની કાયાપલટનું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 08 : દાદરા નગર હવેલીના વાઘછીપા ગામનો મુખ્‍ય રોડ જે ચોમાસા અગાઉથી જ જર્જરિત હતો અને મોટા મોટા ખાડાઓ પડેલા હતા, જે સંદર્ભે અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાંપણ તેનો યોગ્‍ય ઉકેલ કાઢવામાં આવ્‍યો ન હતો. તેથી ફરી સેલવાસ નગરપાલિકાના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયતના વાઘછીપાના સભ્‍ય શ્રી પ્રવિણભાઈ પટેલ ઉર્ફે લાલાએ વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તાનું તાત્‍કાલિક ધોરણે નવીનિકરણ કરવા માટે કલેક્‍ટર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેના અનુસંધાનમાં કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવત અને એમની પૂરી ટીમ, જિલ્લા પંચાયતના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, પીડબ્‍લ્‍યુડી વિભાગના અધિકારીઓ સાથે મળીને વાઘછીપાના ખખડધજ રસ્‍તાનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.
કલેક્‍ટરશ્રીએ વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. ત્‍યારબાદદાદરા અને નગર હવેલીના અન્‍ય ખરાબ રસ્‍તાઓ જેમકે રખોલી, સાયલી અને મસાટના રસ્‍તાઓની પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને કલેક્‍ટરે આશ્વાસન આપ્‍યું હતું કે તાત્‍કાલિક ધોરણે આ તમામ રસ્‍તાઓ બનાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

vartmanpravah

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

Leave a Comment