October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.09: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ નગર સ્‍થિત હોલમાં આરબીઆઈના સહયોગથી અને એક્‍સીસ બેન્‍કના સંયુક્‍ત ઉપક્રમે છેતરપિંડીથી બચવા સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેમિનારની શરૂઆત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન રશ્‍મિન વ્‍યાસ દ્વારા ઉપસ્‍થિત લોકોને હાલના ડિજિટલ યુગમાં જે ઓનલાઇન ટ્રાજેકસન, તથા વેબસાઇટ, વોટ્‍સએપ પર વગેરે માં છેતરપિંડી કરી લોકોના લાખો રૂપિયાનુ કૌભાંડ કરે છે, જેને અટકાવવા ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારનો મુખ્‍યઉદ્દેશ એ છે કે લોકોમાં જન જાગૃતિ આવે અને કૌભાંડના ભોગ બંને નહિ, સેમિનાર દરમિયાન ગુજ્જર સર દ્વારા બેન્‍કમાં ચાલી રહેલ સરકારની યોજના વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રોજેકટર દ્વારા જન જાગૃતિ સંદર્ભે વિડીયો દેખાડવામાં આવ્‍યો હતો. આ સેમિનારમાં ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ જમનાદાસ ઘેડિયા, વિવિધ બેન્‍કોના મેનેજરો, કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

Leave a Comment