April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.09: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ નગર સ્‍થિત હોલમાં આરબીઆઈના સહયોગથી અને એક્‍સીસ બેન્‍કના સંયુક્‍ત ઉપક્રમે છેતરપિંડીથી બચવા સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેમિનારની શરૂઆત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન રશ્‍મિન વ્‍યાસ દ્વારા ઉપસ્‍થિત લોકોને હાલના ડિજિટલ યુગમાં જે ઓનલાઇન ટ્રાજેકસન, તથા વેબસાઇટ, વોટ્‍સએપ પર વગેરે માં છેતરપિંડી કરી લોકોના લાખો રૂપિયાનુ કૌભાંડ કરે છે, જેને અટકાવવા ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારનો મુખ્‍યઉદ્દેશ એ છે કે લોકોમાં જન જાગૃતિ આવે અને કૌભાંડના ભોગ બંને નહિ, સેમિનાર દરમિયાન ગુજ્જર સર દ્વારા બેન્‍કમાં ચાલી રહેલ સરકારની યોજના વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રોજેકટર દ્વારા જન જાગૃતિ સંદર્ભે વિડીયો દેખાડવામાં આવ્‍યો હતો. આ સેમિનારમાં ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ જમનાદાસ ઘેડિયા, વિવિધ બેન્‍કોના મેનેજરો, કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

ધરમપુરમાં રૂા.1.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયું

vartmanpravah

Leave a Comment