Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.09: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ નગર સ્‍થિત હોલમાં આરબીઆઈના સહયોગથી અને એક્‍સીસ બેન્‍કના સંયુક્‍ત ઉપક્રમે છેતરપિંડીથી બચવા સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેમિનારની શરૂઆત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન રશ્‍મિન વ્‍યાસ દ્વારા ઉપસ્‍થિત લોકોને હાલના ડિજિટલ યુગમાં જે ઓનલાઇન ટ્રાજેકસન, તથા વેબસાઇટ, વોટ્‍સએપ પર વગેરે માં છેતરપિંડી કરી લોકોના લાખો રૂપિયાનુ કૌભાંડ કરે છે, જેને અટકાવવા ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારનો મુખ્‍યઉદ્દેશ એ છે કે લોકોમાં જન જાગૃતિ આવે અને કૌભાંડના ભોગ બંને નહિ, સેમિનાર દરમિયાન ગુજ્જર સર દ્વારા બેન્‍કમાં ચાલી રહેલ સરકારની યોજના વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રોજેકટર દ્વારા જન જાગૃતિ સંદર્ભે વિડીયો દેખાડવામાં આવ્‍યો હતો. આ સેમિનારમાં ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ જમનાદાસ ઘેડિયા, વિવિધ બેન્‍કોના મેનેજરો, કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

vartmanpravah

દાનહ નરોલીનું ગૌરવ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

Leave a Comment