August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

વાંસદાના કોંગ્રેસના કદાવર ધારાસભ્‍ય અનંત પટેલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની પિયુષ પટેલે તૈયારી બતાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ વિવિધ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટેની હોડ પણ આરંભાઈ ચૂકી છે. દરેક પક્ષમાં સાત આઠથી લઈ 27 ટિકિટ વાંચ્‍છુઓએ ટિકિટની દાવેદારી નોંધાવી દીધી છે. જો કે આપ અને કોંગ્રેસ દ્વારા અમુક બેઠકો માટે ઉમેદવારો ડીક્‍લેર પણ કરી દેવાયા છે. જ્‍યારે એક માત્ર ભાજપ એ જિલ્લાની પાંચ બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત નથી કરી. આ અંગે આવતીકાલ ગુરૂવારે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. ચૂંટણીના વર્તમાન શતરંજમાં વાંસદાની બેઠક માટે નાયબ મામલતદારની સરકાીર ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે ઉમેદવારી માટે દાવેદારી જાહેર કરી છે. જેને લઈ આ બેઠક ઉપર રાજકારણ ગરમાવા લાગ્‍યું છે.
177 વાંસદાની બેઠક ઉપર 2017 માં વર્તમાન ધારાસભ્‍ય અનંત પટેલ ચૂંટાયેલા છે. બહુલ આદિવાસી વિસ્‍તાર હોવાથી તેઓ વિજેતા બન્‍યા હતા.2022માં પણ ચૂંટણી લડવાના છે. તેમની સામે વાંસદામાં નાયબ મામલતદાર તરીકે સરકારી ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે દાવેદારી નોંધાવી દીધી છે. જેને લઈ રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જો કે આ બાબતે ભાજપ તરફથી કોઈપણ સ્‍પષ્‍ટતા કરવામાં આવી નથી. બીજી તરફ વાંસદા ભાજપ વર્તુળોમાં પિયુષ પટેલની દાવેદારી સામે વિરોધનો વંટોળ પણ શરૂ થઈ ચૂક્‍યો છે. 100 જેટલા ભાજપના કાર્યકરોએ રાજીનામાની ચિમકી પણ ઉચ્‍ચારી દીધી છે.

Related posts

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 12010 કેસોમાંરૂ.29,66,41,465 નું સમાધાન કરાયું

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment