February 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

વાંસદાના કોંગ્રેસના કદાવર ધારાસભ્‍ય અનંત પટેલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની પિયુષ પટેલે તૈયારી બતાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ વિવિધ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટેની હોડ પણ આરંભાઈ ચૂકી છે. દરેક પક્ષમાં સાત આઠથી લઈ 27 ટિકિટ વાંચ્‍છુઓએ ટિકિટની દાવેદારી નોંધાવી દીધી છે. જો કે આપ અને કોંગ્રેસ દ્વારા અમુક બેઠકો માટે ઉમેદવારો ડીક્‍લેર પણ કરી દેવાયા છે. જ્‍યારે એક માત્ર ભાજપ એ જિલ્લાની પાંચ બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત નથી કરી. આ અંગે આવતીકાલ ગુરૂવારે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. ચૂંટણીના વર્તમાન શતરંજમાં વાંસદાની બેઠક માટે નાયબ મામલતદારની સરકાીર ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે ઉમેદવારી માટે દાવેદારી જાહેર કરી છે. જેને લઈ આ બેઠક ઉપર રાજકારણ ગરમાવા લાગ્‍યું છે.
177 વાંસદાની બેઠક ઉપર 2017 માં વર્તમાન ધારાસભ્‍ય અનંત પટેલ ચૂંટાયેલા છે. બહુલ આદિવાસી વિસ્‍તાર હોવાથી તેઓ વિજેતા બન્‍યા હતા.2022માં પણ ચૂંટણી લડવાના છે. તેમની સામે વાંસદામાં નાયબ મામલતદાર તરીકે સરકારી ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે દાવેદારી નોંધાવી દીધી છે. જેને લઈ રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જો કે આ બાબતે ભાજપ તરફથી કોઈપણ સ્‍પષ્‍ટતા કરવામાં આવી નથી. બીજી તરફ વાંસદા ભાજપ વર્તુળોમાં પિયુષ પટેલની દાવેદારી સામે વિરોધનો વંટોળ પણ શરૂ થઈ ચૂક્‍યો છે. 100 જેટલા ભાજપના કાર્યકરોએ રાજીનામાની ચિમકી પણ ઉચ્‍ચારી દીધી છે.

Related posts

મોતીવાડા રેપ વીથ મર્ડરના સિરિયલ કિલરે આચરેલા ગુનાઓ જ એને જીવન આપી રહ્યા છે

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah

Leave a Comment