(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: આજરોજ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ પ્રસંગે વલસાડ કલ્યાણ બાગ ખાતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ તબક્કે લોકસભા સંયોજક શ્રીગણેશભાઈ બિરારી, વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ એસસી મોરચાના ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પુનેટકર, જિલ્લા મોરચાના પ્રભારી શ્રી ચંપકભાઈ પરમાર, જિલ્લા મોરચાના મહામંત્રી શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ ભાલે, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રી અલકાબેન દેસાઈ, સોનલબેન સોલંકી જૈન શ્રી મહામંત્રી શ્રી ધર્મીનભાઈ શાહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ, મોરચાના મહામંત્રી શ્રી પ્રભાકર યાદવ, જિલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, સહ ઈન્ચાર્જ શ્રી ચેતનભાઈ પટેલ, જિલ્લા સો.મી શંખનાદ ઈન્ચાર્જ શ્રીખુશ્બુબેન શાહ, સોશિયલ મીડિયા વલસાડ તાલુકા પંચાયત શ્રી પ્રિતેશભાઈ, એસી મોરચા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ શ્રી હર્ષ રાઠોડ, મંડળના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.