Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિવસને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર બેડપાના મૂળગામ ખાતે 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આજે ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 એમ્‍બ્‍યુલન્‍સ પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્‍દ્ર મહારાજ અને એમની ટીમે બાળકોને 108 એમ્‍બ્‍યુલન્‍સની કાર્યપ્રણાલી અંગે જાણકારી આપી હતી. સાથે કોઈક ઈમરજન્‍સી આવે ત્‍યારે કેવી રીતે કોલ કરી એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી શકાય તેનું ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બાળકો સાથે કેક કાપી રમકડાં અને અભ્‍યાસમાં ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે આશ્રમના આચાર્ય, શિક્ષકો સહિત બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

vartmanpravah

દમણના દમણવાડા વિસ્‍તારની આ મહિલાઓ સમાજ માટે પથદર્શક બની છે

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment