Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિવસને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર બેડપાના મૂળગામ ખાતે 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આજે ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 એમ્‍બ્‍યુલન્‍સ પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્‍દ્ર મહારાજ અને એમની ટીમે બાળકોને 108 એમ્‍બ્‍યુલન્‍સની કાર્યપ્રણાલી અંગે જાણકારી આપી હતી. સાથે કોઈક ઈમરજન્‍સી આવે ત્‍યારે કેવી રીતે કોલ કરી એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી શકાય તેનું ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બાળકો સાથે કેક કાપી રમકડાં અને અભ્‍યાસમાં ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે આશ્રમના આચાર્ય, શિક્ષકો સહિત બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દમણ ખાતે વિશ્વ માછીમારી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

vartmanpravah

Leave a Comment