Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિવસને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર બેડપાના મૂળગામ ખાતે 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આજે ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 એમ્‍બ્‍યુલન્‍સ પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્‍દ્ર મહારાજ અને એમની ટીમે બાળકોને 108 એમ્‍બ્‍યુલન્‍સની કાર્યપ્રણાલી અંગે જાણકારી આપી હતી. સાથે કોઈક ઈમરજન્‍સી આવે ત્‍યારે કેવી રીતે કોલ કરી એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી શકાય તેનું ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બાળકો સાથે કેક કાપી રમકડાં અને અભ્‍યાસમાં ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે આશ્રમના આચાર્ય, શિક્ષકો સહિત બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણમાં કોરોનાનો આંકડો 15-15 નોંધાયો : દીવમાં કોરોનાના 02 કેસ નોંધાયા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

vartmanpravah

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દાનહમાંથી સાંસદ પરિવારની ચાલતી ગુંડાગીર્દી, પરિવારવાદ, ભ્રષ્‍ટાચાર અને આતંકની રાજનીતિ હવે પૂર્ણઃ પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર

vartmanpravah

Leave a Comment