August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

12.પ કિમી અને 2પ કિમીની મેરેથોનમાં 300 લોકો ડુંગર ઉપર દોડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડના રેસર્સ ગૃપ દ્વારા તા. 25 ડિસેમ્‍બરને રવિવારે બીજી વખત ધરમપુર તાલુકાના વિલ્‍સનહીલના ડુંગર પર મેરેથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 12.5 અને 25 કિમીની બે કેટેગરી રાખવામાં આવી હતી. 300 દોડવીરોએ આમેરેથોનમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ મેરેથોનમાં વલસાડ, વાપી, નવસારી અને સુરતથી દોડવીરો આવ્‍યા હતા. કેન્‍યાથી પણ એક દોડવીર આ વિલ્‍સનહિલ રનમાં જોડાયા હતા, જે આ મેરેથોનનું આકર્ષણનું કેન્‍દ્ર રહ્યા હતા. મેરેથોનના ડાયરેક્‍ટર આશિષ કાપડિયા દ્વારા મેરેથોનને લગતી તમામ માહિતી અને સલાહ સૂચનો આપવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ તરફથી ફલેગ ઓફ કરીને મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. વલસાડ રેસર્સના વોલિયેન્‍ટર તેમજ તેના ગામના સ્‍થાનિક વોલિયેન્‍ટર તરફથી સહકાર મળ્‍યો હતો. આ મેરેથોનમાં દરેક દોઢ કિલોમીટરના અંતરે હાઈડ્રેશન પોઈન્‍ટ પણ ગોઠવવામાં આવ્‍યા હતા. જેથી રનર મિત્રોને કોઈપણ તકલીફ ના પડે એની કાળજી લેવાઈ હતી. વલસાડ રેસર્સ દ્વારા મેરેથોન રોડ પર બે એમ્‍બ્‍યુલન્‍સની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી, જે સતત 25 કિમીના રૂટ ઉપર તૈનાત હતી. રનર મિત્રોને મેડલ અને ટ્રોફી આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

દશેરા એ શુદ્ધ ઘીની જલેબી અને સીંગતેલમાં બનાવેલા ફાફડા તો માત્ર રજવાડીના જ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

Leave a Comment