January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્‍પક્ષ, ન્‍યાયી અને મુક્‍ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સબંધિત કામગીરી માટે ઓબ્‍ઝર્વરોની નિમણુંક કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારી અંતિમ તબકકામાં છે અને મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે ત્‍યારે ઉમેદવાર કે આમ જનતાને ચૂંટણી સંબંધિત કોઈપણપ્રકારની ફરિયાદ કરવા માટે ઓબ્‍ઝર્વરશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
જે અન્‍વયે 174-જલાલપોર અને 175- નવસારીમાં જનરલ ઓબ્‍ઝર્વર શ્રી સીતારામ જાટ (મો.નં- 6353044120), 176- ગણદેવી અને 177- વાંસદામાં જનરલ ઓબ્‍ઝર્વર સુશ્રી આકળતિ સાગર, (મો.નં- 6353005289) ની નિમણૂંક કરવામાં આવી છે. 174- જલાલપોર, 175- નવસારી, 176- ગણદેવી અને 177- વાંસદા માં પોલીસ ઓબ્‍ઝર્વર શ્રી શ્રી કબીબ કે. (મો.નં- 9510642241) ની નિમણૂંક, 174-જલાલપોર અને 175- નવસારીમાં ખર્ચ ઓબ્‍ઝર્વર તરીકે શ્રી વિરેન્‍દ્રકુમાર પટેલ (મો.નં-9023549599) તેમજ 176- ગણદેવી (એસ.ટી.) અને 177-વાંસદા(એસ.ટી.)માં શ્રી અવિજીત મિશ્રા (મો.નં- 9023515877) ની નિમણૂંક કરવામાં આવી છે.
આ ઉપરાંત નવસારી ખાતે 24થ7 ફરીયાદ સેલ ખાતે જાહેર નાગરિકો, મતદારો માટે ટોલ ફ્રી નંબર 18002332627 તથા લેન્‍ડ લાઇન નંબર (02637- 260500) પણ કાર્યરત કરવામાં આવી છે. સમાન્‍ય સંજોગોમાં પૂર્વ નિર્ધારિત મુલાકાત અન્‍વયે સર્કિટ હાઉસ ખાતે સવારે 11.00 થી 12.00 વાગ્‍યા વાગ્‍યા સુધી મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નવસારીની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

vartmanpravah

બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્‍વપ્‍ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!

vartmanpravah

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં નુકસાની અંગે ખેડૂતોની રજૂઆતો બાદ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

વલસાડ પોલીસે હાઈવે ઉપરથી રૂા.4.36 લાખના દારૂનો જથ્‍થો ભરેલ ડમ્‍પર ટ્રક ઝડપી : ચાલકની અટક

vartmanpravah

Leave a Comment