April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્‍પક્ષ, ન્‍યાયી અને મુક્‍ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સબંધિત કામગીરી માટે ઓબ્‍ઝર્વરોની નિમણુંક કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારી અંતિમ તબકકામાં છે અને મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે ત્‍યારે ઉમેદવાર કે આમ જનતાને ચૂંટણી સંબંધિત કોઈપણપ્રકારની ફરિયાદ કરવા માટે ઓબ્‍ઝર્વરશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
જે અન્‍વયે 174-જલાલપોર અને 175- નવસારીમાં જનરલ ઓબ્‍ઝર્વર શ્રી સીતારામ જાટ (મો.નં- 6353044120), 176- ગણદેવી અને 177- વાંસદામાં જનરલ ઓબ્‍ઝર્વર સુશ્રી આકળતિ સાગર, (મો.નં- 6353005289) ની નિમણૂંક કરવામાં આવી છે. 174- જલાલપોર, 175- નવસારી, 176- ગણદેવી અને 177- વાંસદા માં પોલીસ ઓબ્‍ઝર્વર શ્રી શ્રી કબીબ કે. (મો.નં- 9510642241) ની નિમણૂંક, 174-જલાલપોર અને 175- નવસારીમાં ખર્ચ ઓબ્‍ઝર્વર તરીકે શ્રી વિરેન્‍દ્રકુમાર પટેલ (મો.નં-9023549599) તેમજ 176- ગણદેવી (એસ.ટી.) અને 177-વાંસદા(એસ.ટી.)માં શ્રી અવિજીત મિશ્રા (મો.નં- 9023515877) ની નિમણૂંક કરવામાં આવી છે.
આ ઉપરાંત નવસારી ખાતે 24થ7 ફરીયાદ સેલ ખાતે જાહેર નાગરિકો, મતદારો માટે ટોલ ફ્રી નંબર 18002332627 તથા લેન્‍ડ લાઇન નંબર (02637- 260500) પણ કાર્યરત કરવામાં આવી છે. સમાન્‍ય સંજોગોમાં પૂર્વ નિર્ધારિત મુલાકાત અન્‍વયે સર્કિટ હાઉસ ખાતે સવારે 11.00 થી 12.00 વાગ્‍યા વાગ્‍યા સુધી મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નવસારીની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્‍કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment