July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દપાડા ગ્રામ પંચાયતનું મુખ્‍ય લક્ષ્યઃ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડવાનો

  • સરપંચ છગનભાઈ માહલાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત દપાડામાં ગ્રામસભા યોજાઈ

  • વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે આપેલી મંજૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના મિનિસ્‍ટ્રી ઓફ ડેવલપમેન્‍ટ પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલપમેન્‍ટ સેક્રેટરી દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારીના આદેશ મુજબ આજે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત સરપંચ શ્રી છગનભાઈ એસ. માહલાની અધ્‍યક્ષતામાં દપાડા ગ્રામ પંચાયતની ગ્રામસભા મળી હતી. જેમાં દાનહ જિલ્લા પંચાયતના દપાડા વિભાગના સભ્‍ય શ્રી રમેશભાઈ એસ. માહલા, દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા, સાયલી ગ્રામ પંચાયતના વોર્ડ સભ્‍યો તથા એનઆરએલએમ વિભાગ, ઉચ્‍ચ માધ્‍યમિક અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન વિભાગ, પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગ, આરોગ્‍ય વિભાગનાઅધિકારી, બેંક ઓફ બરોડાના અધિકારી, પીડબ્‍લ્‍યુડી વિભાગ, પશુપાલન વિભાગ, ખેતી નિયામક વિભાગ, એસ.સી., એસ.ટી. કોર્પોરેશન, દપાડા ગ્રામ પંચાયતનો સ્‍ટાફ તથા આંગણવાડી કામદારો, સેલ્‍ફ હેલ્‍પ ગૃપની બહેનો તેમજ દપાડા પંચાયતના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ગ્રામસભામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડી તેઓને આ યોજનાઓનો લાભ સળરતાથી મળી રહે એ રીતે લાગુ કરી ગામ સમૃદ્ધ અને તંદુરસ્‍ત બને તે બાબતે ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

Related posts

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment