January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.11: કોરોના કાળની બીજી લહેરમાં જ્‍યારે મોટા ભાગના તમામ લોકો ઝપેટમાં આવ્‍યાં હતાં તે સમયે ઉમરગામ ટાઉન ખાતે રહેતા રાજુભાઈ ઠાકોરભાઈ ભંડારી પણ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા હતાં. જેમને તારીખ 18-05-2022 ના રોજ વાપીની સિટી મલ્‍ટીમ્‍લેક્‍સ હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્‍યાં હતાં જેમને તા.24-05-2022 ના રોજ 1,56,683 નું બિલ ભરી હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યાં હતાં. રાજુભાઈ પાસે ઓરિએન્‍ટલ વીમા કંપનીનો રૂા.2 લાખનો વીમા કવચ હતો જેથી તેમણે જરૂરી તમામ દસ્‍તાવેજ સાથે વીમા કંપની પાસે વીમા રાશીનો કલેઈમ કર્યો હતો. ઓરિએન્‍ટલ વીમા કંપની દ્વારા કોરોના કેસમાં ઓક્‍સિઝન, ગ્‍લોવ્‍સ, માસ્‍ક, નુબેલેજેશન જેવી કૅન્‍સ્‍યુમેંબલ વસ્‍તુઓ વીમા કવજમાં ન આવતી હોવાનું કારણ આપી મૂળ રકમના 50 ટકા જેટલી માતબર રકમ કાપી માત્ર 72366 ની વીમા રાશી મંજૂર કરવામાં આવી હતી જેથી વીમા કંપનીના નિર્ણયથી નારાજ વિમાધારક રાજુ ભંડારી દ્વારા પોલિસી ખોલવા મીઠી મીઠી વાતો કરી આંટા ફેરકરતાં અજ્ઞાની એજેન્‍ટો અને લોભામણી ઓફર સાથે ફૂદડી લગાવતી શરતો વાલી ભારતની ખ્‍યાતનામ વીમા કંપની ઓરિએન્‍ટલ ઈન્‍સુરન્‍સ કંપનીને વલસાડની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પડકરવામાં આવી હતી. જેમાં ફરિયાદી પક્ષના વકીલ અપૂર્વ દેસાઈ દ્વારા તેમના અસીલ પાસે 2 લાખનો વીમા કવજ હોય તેમજ પોલિસી સમયે કોઈ લેખિત વિશેષ શરત આપવામાં આવી ના હોય તેમજ વીમા કંપની દ્વારા શરતનું ખોટી રીતે અર્થઘટન કરી ગ્રાહક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી લડત આપવામાં આવી હતી. જેને માન્‍ય રાખી ગ્રાહક સુરક્ષા કોર્ટના જજ વી. બી. વર્મા દ્વારા વીમા કંપનીને સેવામાં બેદરકારી માની વિમાધારાકને છેતરી અન્‍યાય કરવાનું ઠેરવી ફરિયાદી રાજુ ભંડારીને બાકી નીકળતા 62169 ફરિયાદની તારીખ થી 7 ટકા લેખે વ્‍યાજ સહીત ચૂકવાનો આદેશ કર્યો છે તેમજ વિમાધારકને પડેલ શારીરિક તેમજ માનસિક ત્રાસ પેટે વધારેના 2500 ચૂકવાનો પ્રશંસનીય હુકમ કરવામાં આવ્‍યો હતો. કોરોના કાળમાં અસંખ્‍ય વિમાધારક દર્દીઓને શરતોનું ખોટું અર્થઘટન કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ઈન્‍સુરન્‍સ કંપની માટે વલસાડ ગ્રાહક સુરક્ષા કોર્ટનો આ પ્રજાલક્ષી નિર્ણાયક ચુકાદો ખતરાની ઘંટી સમાન સાબિત થશે.

Related posts

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

વલસાડ જિલ્લો બન્‍યો યોગમયઃ તિથલ સ્‍વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

Leave a Comment