Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

સવારે 10:00 વાગ્‍યે બારિયાવાડથી ‘આપણાં આંગણામાં પંચાયત’ કાર્યક્રમનો થનારો આરંભઃ સાંજે બોરિયા તળાવ ખાતેપૂર્ણાહૂતિ
લોકોને પોતાના ઘરઆંગણામાં રેસીડન્‍ટ, ડેથ અને બર્થ તથા ઈનકમ સર્ટીફિકેટ ઈશ્‍યૂ કરાશેઃ વોર્ડની સમસ્‍યાથી પણ પંચાયતની ટીમ રૂબરૂ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આવતી કાલ તા.24મી ડિસેમ્‍બરના રોજ સુશાસન સપ્તાહ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત આવતી કાલે લોકોના આંગણામાં પહોંચી સ્‍થળ ઉપર જ જરૂરિયાતમંદોને જરૂરી દસ્‍તાવેજોની ચકાસણી કર્યા બાદ રેસીડન્‍ટ સર્ટીફિકેટ, ડેથ અને બર્થ સર્ટીફિકેટ, ઈનકમ સર્ટીફિકેટ ઈશ્‍યૂ કરવામાં આવશે. તદ્‌ઉપરાંત ગામના વોર્ડની સમસ્‍યાથી પણ પંચાયતની ટીમ માહિતગાર થશે.
આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતેથી ‘આપણાં આંગણે દમણવાડા પંચાયત’ અભિયાનનો આરંભ થશે. ત્‍યારબાદ નવા જમ્‍પોર થઈ ઢોલરથી ભાઠૈયા, ભામટી, તળાવ ફળિયા, પલહિત અને બોરિયા તળાવ ખાતે પૂર્ણાહૂતિ કરાશે.

Related posts

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

એક સમયે દેશ માટે બ્‍લાઇન્‍ડ ટી-20 વર્લ્‍ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

Leave a Comment