March 3, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
ભારત ભૂષણ મહંત ડો. નાનક દાસજી ભૂતપૂર્વ કેન્‍દ્રીય ટી બોર્ડના સભ્‍ય ભારત સરકાર, અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્‍થાન મોટી ખાતુ અને કબીર સમાધિ સ્‍થળ મગર ધામ કબીર 504ના કબીરના શુભ અવસર પર દેશમાં પ્રથમ વખત મહાપરિનિર્વાણ મહોત્‍સવમાં સંતકબીર એવોર્ડ માટે દેશનાં 100 મહાન હસ્‍તીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના ધોધડકુવા ગામના રહેવાસી અને વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ યુ. પટેલને નિર્ણાયક મંડળ દ્વારા સંત કબીર સન્‍માન – 2023 માટે પસંદગી કરવામાં આવી છે.
ડો.વિમુખ પટેલ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરીને ભારતને વિશ્વગુરુ બનાવવામાં મદદરૂપ બનશે.
ડૉ.વિમુખ યુ પટેલને આ એવૉર્ડ ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્‍ટરનેશનલ હોલ, નવી દિલ્‍હી ખાતે આયોજિત ભવ્‍ય સમારંભમાં આપવામાં આવશે. ડૉ. વિમુખ યુ. પટેલને વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ મેળવવા બદલઅભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

vartmanpravah

ધોરણ 1માં પ્રવેશ લેતાં બાળકોનાં સંઘપ્રદેશમાં સત્‍કારસન્‍માન સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

Leave a Comment