Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
ભારત ભૂષણ મહંત ડો. નાનક દાસજી ભૂતપૂર્વ કેન્‍દ્રીય ટી બોર્ડના સભ્‍ય ભારત સરકાર, અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્‍થાન મોટી ખાતુ અને કબીર સમાધિ સ્‍થળ મગર ધામ કબીર 504ના કબીરના શુભ અવસર પર દેશમાં પ્રથમ વખત મહાપરિનિર્વાણ મહોત્‍સવમાં સંતકબીર એવોર્ડ માટે દેશનાં 100 મહાન હસ્‍તીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના ધોધડકુવા ગામના રહેવાસી અને વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ યુ. પટેલને નિર્ણાયક મંડળ દ્વારા સંત કબીર સન્‍માન – 2023 માટે પસંદગી કરવામાં આવી છે.
ડો.વિમુખ પટેલ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરીને ભારતને વિશ્વગુરુ બનાવવામાં મદદરૂપ બનશે.
ડૉ.વિમુખ યુ પટેલને આ એવૉર્ડ ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્‍ટરનેશનલ હોલ, નવી દિલ્‍હી ખાતે આયોજિત ભવ્‍ય સમારંભમાં આપવામાં આવશે. ડૉ. વિમુખ યુ. પટેલને વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ મેળવવા બદલઅભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહણ પૂતળું સ્‍થાપિત થશેઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

vartmanpravah

Leave a Comment