March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ધોરણ 1માં પ્રવેશ લેતાં બાળકોનાં સંઘપ્રદેશમાં સત્‍કારસન્‍માન સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રવેશોત્‍સવના શરૂ કરાવેલા નવતર પ્રયોગની થઈ રહેલી હકારાત્‍મક અસરઃ શાળાઓમાં વધી રહેલી સંખ્‍યા અને કન્‍યા કેળવણીને મળી રહેલું ઉત્તેજન

  • સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણના માધ્‍યમથી પ્રદેશની રોનક બદલવા શરૂ કરેલા પ્રયાસને પણ મળી રહેલી ધારી સફળતા

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.13

આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ધોરણ 1માં પ્રવેશ લીધેલા બાળકોના સત્‍કાર અને સન્‍માન માટે પ્રદેશની સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્‍સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., દાનિક્‍સ જેવા ઉચ્‍ચ અધિકારીઓએ ઉપસ્‍થિત રહી પ્રવેશ લેતા વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કર્યો હતો અને તેઓ શાળાના પર્યાવરણથી પણ માહિતગાર થયા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે કાર્યભાર સંભાળ્‍યા બાદ શ્રી પ્રફુલભાઈ પટેલે 2017ના શૈક્ષણિક વર્ષના આરંભે પ્રદેશની શાળાઓમાં પ્રવેશોત્‍સવના આયોજનનો નવતર પ્રયોગ અમલમાં મુક્‍યો હતો. જેનો હેતુ ધોરણ 1માં પ્રવેશથી કોઈ બાળક વંચિત નહીં રહી જાય અને કન્‍યા કેળવણીને ઉત્તેજન આપવાનું છે. જે અંતર્ગત પહેલાધોરણમાં પ્રવેશ લેતા ભૂલકાંને શાળામાં ભણવાની સાથે સાથે આનંદ-પ્રમોદ પણ મળી શકે અને તેમના માટે એક નવું વિશ્વ ખુલે એવી ભાવનાથી પ્રવેશોત્‍સવનું આયોજન હાથ ધરાયું હતું. ગયા બે વર્ષ 2020 અને 2021 કોરોના મહામારીના કારણે પ્રવેશોત્‍સવ શક્‍ય નહીં બન્‍યો હતો.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવેશોત્‍સવના કાર્યક્રમ દરમિયાન તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત પણ કરાયા હતા અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા બાળક પાસે વૃક્ષારોપણ કરાવી તેમને પ્રકૃત્તિ સાથે પણ પરિચિત કરાયા હતા. શાળામાં તિથિ ભોજન અંતર્ગત સ્‍વાદિષ્‍ટ ભોજન પણ પિરસાયું હતું અને ઉચ્‍ચ અધિકારીઓ તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા બાળકોની સાથે પંગતમાં બેસી ભોજનનો સ્‍વાદ પણ માણ્‍યો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રવેશોત્‍સવના કારણે પ્રદેશની શાળાઓમાં નામાંકન પણ વધી રહ્યું છે. આજના કાર્યક્રમથી ફરી એકવાર પ્રદેશમાં શિક્ષણના માધ્‍યમથી રોનક બદલાવાનો આરંભ થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

Leave a Comment