October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

વાહન ચાલકોને ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિરથી ડુંગરી ફળીયા જતા રોડથી આવાગમન કરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઈઝતી દહેગામ રોડ ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવા માટે આજથી ત્રણ મહિના બંધ કરવામાં આવ્‍યો છે.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઝથી નિકળતો ફોર્થ ફેઈઝ વાયા બગરીયા કેમિકલ થઈ ડુંગરી ફળીયા દહેગામ-ધરમપુર રોડને જોડતો રોડ આજથી આગામી 3 મહિના સુધી બંધ કરી દેવાયો છે. આ રોડ ઉપર આવેલ બિલખાડીનો પુલ અતિ જર્જરીત થઈ ગયો હોવાથી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા પુલને રિડેવલોપમેન્‍ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી અંદાજીત ત્રણ મહિના સુધી કાર્યરત રહેવાથી રોડ બંધ કરી દેવામાં આવ્‍યો છે. અહીંથી અવર જવર કરતા વાહનોને હવેથી ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિર થઈને ડુંગરી ફળીયા આવવા જવા અવર જવર કરવી પડશે. તેથી થર્ડ ફેઝ વિસ્‍તારના વાહન ચાલકો માટે ડુંગરી ફળીયા પહોંચવાનો શોર્ટકટ રોડ હાલ પુરતો બંધ થઈ ગયો હતો. ચકરાવો કાપી ડુંગરી ફળીયા ધરમપુર રોડથી અવર જવર કરવી પડશે.

Related posts

‘વેલસ્‍પન ફાઉન્‍ડેશને’ વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાંઓની આજીવિકા મજબૂત કરવા માટે હાથ ધરેલો પ્રોજેક્‍ટ

vartmanpravah

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ, વાપી ખાતે GST દિવસની ઉજવણી

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

Leave a Comment