July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

વાહન ચાલકોને ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિરથી ડુંગરી ફળીયા જતા રોડથી આવાગમન કરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઈઝતી દહેગામ રોડ ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવા માટે આજથી ત્રણ મહિના બંધ કરવામાં આવ્‍યો છે.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઝથી નિકળતો ફોર્થ ફેઈઝ વાયા બગરીયા કેમિકલ થઈ ડુંગરી ફળીયા દહેગામ-ધરમપુર રોડને જોડતો રોડ આજથી આગામી 3 મહિના સુધી બંધ કરી દેવાયો છે. આ રોડ ઉપર આવેલ બિલખાડીનો પુલ અતિ જર્જરીત થઈ ગયો હોવાથી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા પુલને રિડેવલોપમેન્‍ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી અંદાજીત ત્રણ મહિના સુધી કાર્યરત રહેવાથી રોડ બંધ કરી દેવામાં આવ્‍યો છે. અહીંથી અવર જવર કરતા વાહનોને હવેથી ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિર થઈને ડુંગરી ફળીયા આવવા જવા અવર જવર કરવી પડશે. તેથી થર્ડ ફેઝ વિસ્‍તારના વાહન ચાલકો માટે ડુંગરી ફળીયા પહોંચવાનો શોર્ટકટ રોડ હાલ પુરતો બંધ થઈ ગયો હતો. ચકરાવો કાપી ડુંગરી ફળીયા ધરમપુર રોડથી અવર જવર કરવી પડશે.

Related posts

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

દમણ ખાતે ધોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ ચેમ્‍પિયન બનેલી કચીગામ જય જલારામ ટીમ

vartmanpravah

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

Leave a Comment