April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

વાહન ચાલકોને ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિરથી ડુંગરી ફળીયા જતા રોડથી આવાગમન કરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઈઝતી દહેગામ રોડ ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવા માટે આજથી ત્રણ મહિના બંધ કરવામાં આવ્‍યો છે.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઝથી નિકળતો ફોર્થ ફેઈઝ વાયા બગરીયા કેમિકલ થઈ ડુંગરી ફળીયા દહેગામ-ધરમપુર રોડને જોડતો રોડ આજથી આગામી 3 મહિના સુધી બંધ કરી દેવાયો છે. આ રોડ ઉપર આવેલ બિલખાડીનો પુલ અતિ જર્જરીત થઈ ગયો હોવાથી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા પુલને રિડેવલોપમેન્‍ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી અંદાજીત ત્રણ મહિના સુધી કાર્યરત રહેવાથી રોડ બંધ કરી દેવામાં આવ્‍યો છે. અહીંથી અવર જવર કરતા વાહનોને હવેથી ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિર થઈને ડુંગરી ફળીયા આવવા જવા અવર જવર કરવી પડશે. તેથી થર્ડ ફેઝ વિસ્‍તારના વાહન ચાલકો માટે ડુંગરી ફળીયા પહોંચવાનો શોર્ટકટ રોડ હાલ પુરતો બંધ થઈ ગયો હતો. ચકરાવો કાપી ડુંગરી ફળીયા ધરમપુર રોડથી અવર જવર કરવી પડશે.

Related posts

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કૉલેજમાં નવરાત્રી પર્વમાં ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૪૭ કેસ નોંધાયા: ૫૨૦ ઍકટિવ કેસ

vartmanpravah

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

Leave a Comment