January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

પીધેલા જાનૈયાઓ માટે પોલીસે ખાસ મંડપ અને મેરેજ હોલ તહેનાત રાખ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: 2023ના ઈસુના નવા વર્ષની ઉજવણી કરવા માટે સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો, સહેલાણીઓ અને સ્‍થાનિકો પહોંચી ગયા હતા. થર્ટી ફસ્‍ટ અને પાર્ટીની મહેફીલો માણી મદિરાપાન કરેલા જ્‍યારે ગુજરાત વાપી-પારડી-ભિલાડમાં પ્રવેશ્‍યા એટલે વલસાડ જિલ્લા પોલીસે 1322 જેટલા પિધેલાઓ ઝડપી પાડી હવાલાત ભેગા કરી પોલીસે નશો ઉતારી દીધો હતો.
વલસાડ જિલ્લામાં થર્ટીફસ્‍ટની ઉજવણી કરવાનો ક્રેઝ વરસોથી જાણીતો અને માનીતો રહ્યો છે તે અનુસાર તા.30-31 ડિસેમ્‍બરે થર્ટીફસ્‍ટની ઉજવણી માટે હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં પહોંચી ગયા હતા. હોટલો, બાર, રેસ્‍ટોરન્‍ટ, બીચ ઉપર માનવ મહેરામણ ઉમટી પડેલો. ખાણી-પીણીની મહેફીલોની રંગત માણી લોકો ઘરે પરત ફરીરહ્યા હતા ત્‍યારે 31 જેટલી ચેકપોસ્‍ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસ પીધેલાઓનું સ્‍વાગત કરવા તહેનાત હતી. 48 કલાક ચાલેલી પ્રોહિબિશનની કાર્યવાહીમાં કુલ 1322 જેટલા પીધેલાઓને પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા જાનૈયાઓની સરભરા કરવા માટે પોલીસે વિવિધ પોલીસ સ્‍ટેશનોમાં અલાયદા ખાસ મંડપ અને મેરેજ હોલ જે તૈયાર રખાયેલા તેમાં શિફટ કરાયા હતા. સોશ્‍યિલ ડિસ્‍ટન્‍સ અને મેડિકલ ટીમે પોલીસે સ્‍ટેન્‍ડબાય રાખી હતી. બે દિવસમાં એટલે કે શનિ-રવિવારે તમામ પિધેલાઓને પોલીસ ક્રમશઃ કોર્ટમાં રજૂ કરશે. જેમ જેમ જામીન મળશે તેમ તેમ પીધેલાઓનો છૂટકારો થશે. ખાસ નોંધનીય છે કે, પ્રતિ થર્ટીફસ્‍ટએ પોલીસે એલર્ટ હોય છે છતાં પણ લોકો પી-પીને ગુજરાતમાં આવે છે. ખુદ તો હેરાન થાય છે પણ સેંકડો પરિવારોને હેરાનગતિની ગર્તામાં ધકેલી રહ્યા છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

ડાંગ સુબિરનો તાલુકા વિકાસ અધિકારી 6 હજારની લાંચ લેતા એસીબી વલસાડની ટ્રેનમાં ઝડપાયો

vartmanpravah

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment