October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

પીધેલા જાનૈયાઓ માટે પોલીસે ખાસ મંડપ અને મેરેજ હોલ તહેનાત રાખ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: 2023ના ઈસુના નવા વર્ષની ઉજવણી કરવા માટે સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો, સહેલાણીઓ અને સ્‍થાનિકો પહોંચી ગયા હતા. થર્ટી ફસ્‍ટ અને પાર્ટીની મહેફીલો માણી મદિરાપાન કરેલા જ્‍યારે ગુજરાત વાપી-પારડી-ભિલાડમાં પ્રવેશ્‍યા એટલે વલસાડ જિલ્લા પોલીસે 1322 જેટલા પિધેલાઓ ઝડપી પાડી હવાલાત ભેગા કરી પોલીસે નશો ઉતારી દીધો હતો.
વલસાડ જિલ્લામાં થર્ટીફસ્‍ટની ઉજવણી કરવાનો ક્રેઝ વરસોથી જાણીતો અને માનીતો રહ્યો છે તે અનુસાર તા.30-31 ડિસેમ્‍બરે થર્ટીફસ્‍ટની ઉજવણી માટે હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં પહોંચી ગયા હતા. હોટલો, બાર, રેસ્‍ટોરન્‍ટ, બીચ ઉપર માનવ મહેરામણ ઉમટી પડેલો. ખાણી-પીણીની મહેફીલોની રંગત માણી લોકો ઘરે પરત ફરીરહ્યા હતા ત્‍યારે 31 જેટલી ચેકપોસ્‍ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસ પીધેલાઓનું સ્‍વાગત કરવા તહેનાત હતી. 48 કલાક ચાલેલી પ્રોહિબિશનની કાર્યવાહીમાં કુલ 1322 જેટલા પીધેલાઓને પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા જાનૈયાઓની સરભરા કરવા માટે પોલીસે વિવિધ પોલીસ સ્‍ટેશનોમાં અલાયદા ખાસ મંડપ અને મેરેજ હોલ જે તૈયાર રખાયેલા તેમાં શિફટ કરાયા હતા. સોશ્‍યિલ ડિસ્‍ટન્‍સ અને મેડિકલ ટીમે પોલીસે સ્‍ટેન્‍ડબાય રાખી હતી. બે દિવસમાં એટલે કે શનિ-રવિવારે તમામ પિધેલાઓને પોલીસ ક્રમશઃ કોર્ટમાં રજૂ કરશે. જેમ જેમ જામીન મળશે તેમ તેમ પીધેલાઓનો છૂટકારો થશે. ખાસ નોંધનીય છે કે, પ્રતિ થર્ટીફસ્‍ટએ પોલીસે એલર્ટ હોય છે છતાં પણ લોકો પી-પીને ગુજરાતમાં આવે છે. ખુદ તો હેરાન થાય છે પણ સેંકડો પરિવારોને હેરાનગતિની ગર્તામાં ધકેલી રહ્યા છે.

Related posts

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

Leave a Comment