March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

પીધેલા જાનૈયાઓ માટે પોલીસે ખાસ મંડપ અને મેરેજ હોલ તહેનાત રાખ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: 2023ના ઈસુના નવા વર્ષની ઉજવણી કરવા માટે સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો, સહેલાણીઓ અને સ્‍થાનિકો પહોંચી ગયા હતા. થર્ટી ફસ્‍ટ અને પાર્ટીની મહેફીલો માણી મદિરાપાન કરેલા જ્‍યારે ગુજરાત વાપી-પારડી-ભિલાડમાં પ્રવેશ્‍યા એટલે વલસાડ જિલ્લા પોલીસે 1322 જેટલા પિધેલાઓ ઝડપી પાડી હવાલાત ભેગા કરી પોલીસે નશો ઉતારી દીધો હતો.
વલસાડ જિલ્લામાં થર્ટીફસ્‍ટની ઉજવણી કરવાનો ક્રેઝ વરસોથી જાણીતો અને માનીતો રહ્યો છે તે અનુસાર તા.30-31 ડિસેમ્‍બરે થર્ટીફસ્‍ટની ઉજવણી માટે હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં પહોંચી ગયા હતા. હોટલો, બાર, રેસ્‍ટોરન્‍ટ, બીચ ઉપર માનવ મહેરામણ ઉમટી પડેલો. ખાણી-પીણીની મહેફીલોની રંગત માણી લોકો ઘરે પરત ફરીરહ્યા હતા ત્‍યારે 31 જેટલી ચેકપોસ્‍ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસ પીધેલાઓનું સ્‍વાગત કરવા તહેનાત હતી. 48 કલાક ચાલેલી પ્રોહિબિશનની કાર્યવાહીમાં કુલ 1322 જેટલા પીધેલાઓને પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા જાનૈયાઓની સરભરા કરવા માટે પોલીસે વિવિધ પોલીસ સ્‍ટેશનોમાં અલાયદા ખાસ મંડપ અને મેરેજ હોલ જે તૈયાર રખાયેલા તેમાં શિફટ કરાયા હતા. સોશ્‍યિલ ડિસ્‍ટન્‍સ અને મેડિકલ ટીમે પોલીસે સ્‍ટેન્‍ડબાય રાખી હતી. બે દિવસમાં એટલે કે શનિ-રવિવારે તમામ પિધેલાઓને પોલીસ ક્રમશઃ કોર્ટમાં રજૂ કરશે. જેમ જેમ જામીન મળશે તેમ તેમ પીધેલાઓનો છૂટકારો થશે. ખાસ નોંધનીય છે કે, પ્રતિ થર્ટીફસ્‍ટએ પોલીસે એલર્ટ હોય છે છતાં પણ લોકો પી-પીને ગુજરાતમાં આવે છે. ખુદ તો હેરાન થાય છે પણ સેંકડો પરિવારોને હેરાનગતિની ગર્તામાં ધકેલી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah

Leave a Comment