April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

વાપી વિસ્‍તારમાં ચાલતા હાઈવે બ્રિજ રસ્‍તા અંડરપાસ જેવા કામોને વેગ આપવાની ચર્ચા થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: આજ રોજ ગુજરાત સરકારના આદરણીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને સ્‍વર્ણીમ સંકુલ 1, ગાંધીનગર ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી અને આર એન્‍ડ બી ડિપાર્ટમેન્‍ટની ખૂબ જ મહત્‍વની બેઠક મળી હતી. જેમાં સરકારના ઉચ્‍ચ અધિકારીઓ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી અને આર એન્‍ડ બી ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ સાથે વાપી નોટિફાઈડ ગવરનિંગ બોર્ડ ચેરમેન હેમંતભાઈ પટેલ, વાપી વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, યોગેશભાઈ કાબરીયા એડવાઈઝરી બોર્ડ વીઆઈએ, કલ્‍પેશ વોરા સેક્રેટરી વીઆઈએ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં વલસાડ જિલ્લા અને વાપી વિસ્‍તારના હાઈવે બ્રિજ અને રસ્‍તા તેમજ અન્‍ડર પાસ અંગે સૂચનોધ્‍યાનમાં લઈ અને વિકાસના થઈ રહેલા કર્યોને વધુ વેગ વનતા બનાવવા મંત્રીશ્રી દ્વારા અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનો અપાયા હતા.

Related posts

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment