Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

ભક્‍તજનોને કથાનો લાભ લેવા આયોજકો દ્વારા વિનમ્ર અપીલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : સેલવાસના બાલાજી મંદિર રોડ ખાતે આવેલ તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું આયોજન મુખ્‍ય યજમાન અને કથાકાર આચાર્ય શ્રી શરદ કૃષ્‍ણ શાષાીજીના મુખારવિંદથી શરૂ કરવામાં આવી છે. કથાનો પ્રારંભ કરવા પહેલા 108 કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જે આખા શહેરમાં ફરી પરત કથા સ્‍થળે આવી હતી.
આ ભાગવત કથા આજે 2જાન્‍યુઆરીથી 8જાન્‍યુઆરી,2023 સુધી સાંજે 4:00 વાગ્‍યાથી રાત્રે 9:00 વાગ્‍યા સુધી ભક્‍તજનોને કથા શ્રવણનો લાભ મળશે. આ ભાગવત કથાનું આયોજન શ્રી રાજેશ શુક્‍લા, શ્રી રામકુમાર સિંહ, શ્રી જગદીશ પુરોહિત, શ્રી આનંદ ઉપાધ્‍યાય, શ્રી સ્‍વતંત્ર તિવારી, શ્રી ચેતન પટેલ, શ્રી રામસુખ પાંડે સહિત સોસાયટીના સભ્‍યો દ્વારા કરવામા આવ્‍યું છે. આ ભાગવત કથાનો ભાવિકભક્‍તોને સલાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

Leave a Comment