Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સની ચૂકવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં ૯૦ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ માટે રાજય સરકાર દ્વારા બે એડિશનલ કલેકટર તથા પાંચ નાયબ કલેકટરની ફાળવવામાં આવ્યા હતાં.
જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનાં સર્વેમાં નવસારી (શહેર)માં ૪૫ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૧,૪૪૧ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાપાત્ર છે. જેમાંથી ૭,૬૬૨ વ્યકિતઓને રૂા.૪૨ લાખથી વધુ રકમ ચૂકવાઇ ગઇ છે.૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાના બાકી છે. ચૂકવણીની કામગીરી ચાલુ છે. નવસારી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી. સર્વેમાં ૧૩૯૯ વ્યકિતઓને ચૂકવાપાત્ર હતાં તેઓને કુલ રૂા.૨,૭૬,૫૪૦/- ચૂકવવામાં આવ્યા હતાં.
જલાલપોર તાલુકાની ૪ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેમાં ૨૬૭૨ વ્યકિતઓને કેશડોલ્સ રૂા.૪,૨૭,૧૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી શહેરમાં ૧૪ ટીમો દ્વારા સર્વે કરી ૫૯૦૧ વ્યકિતઓને રૂા.૧૮,૩૩,૩૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વે કરી ૮૭૨૮ વ્યકિતઓને રૂા.૯,૧૨,૦૨૦ ચૂકવવામાં આવ્યાં હતાં. જયારે વાંસદા તાલુકામાં ૯ ટીમો દ્વારા ૨૯૪ વ્યકિતઓને ૭૩૪૮૦ ચૂકવણી કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં કુલ ૯૦ ટીમો દ્વારા ૬૫,૫૦૩ વ્યકિતઓમાંથી ૬૧,૭૨૪ વ્યકિતઓને રૂા.૨,૦૪,૦૭,૪૪૦/- ચૂકવવામાં આવ્યાં છે. બાકી રહેલા ૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાની કામીગીરી ચાલુ છે.

Related posts

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

Leave a Comment