June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સની ચૂકવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં ૯૦ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ માટે રાજય સરકાર દ્વારા બે એડિશનલ કલેકટર તથા પાંચ નાયબ કલેકટરની ફાળવવામાં આવ્યા હતાં.
જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનાં સર્વેમાં નવસારી (શહેર)માં ૪૫ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૧,૪૪૧ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાપાત્ર છે. જેમાંથી ૭,૬૬૨ વ્યકિતઓને રૂા.૪૨ લાખથી વધુ રકમ ચૂકવાઇ ગઇ છે.૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાના બાકી છે. ચૂકવણીની કામગીરી ચાલુ છે. નવસારી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી. સર્વેમાં ૧૩૯૯ વ્યકિતઓને ચૂકવાપાત્ર હતાં તેઓને કુલ રૂા.૨,૭૬,૫૪૦/- ચૂકવવામાં આવ્યા હતાં.
જલાલપોર તાલુકાની ૪ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેમાં ૨૬૭૨ વ્યકિતઓને કેશડોલ્સ રૂા.૪,૨૭,૧૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી શહેરમાં ૧૪ ટીમો દ્વારા સર્વે કરી ૫૯૦૧ વ્યકિતઓને રૂા.૧૮,૩૩,૩૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વે કરી ૮૭૨૮ વ્યકિતઓને રૂા.૯,૧૨,૦૨૦ ચૂકવવામાં આવ્યાં હતાં. જયારે વાંસદા તાલુકામાં ૯ ટીમો દ્વારા ૨૯૪ વ્યકિતઓને ૭૩૪૮૦ ચૂકવણી કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં કુલ ૯૦ ટીમો દ્વારા ૬૫,૫૦૩ વ્યકિતઓમાંથી ૬૧,૭૨૪ વ્યકિતઓને રૂા.૨,૦૪,૦૭,૪૪૦/- ચૂકવવામાં આવ્યાં છે. બાકી રહેલા ૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાની કામીગીરી ચાલુ છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment