March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: રાજ્‍યમાં પાલિકાના કર્મચારીઓએ પડતર માંગણીઓ તરફ ધ્‍યાન દોરવા હડતાલનું શષા અપનાવેલું છે. આજે હડતાલનો પાંચમો દિવસ હતો પરંતુ સરકાર ટસ થી મસ ના થતા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન ગાંધીનગર સેક્‍ટર – 7 ના પોલીસ કર્મચારીઓ ધસી આવી મંડળના આગેવાનોને બળ પ્રયોગનો ધમકી આપી ગેરકાયદેસર રીતે અટક કરતા રાજ્‍યની તમામ પાલિકાના કર્મચારીઓમાં રોષની લાગણી ફલાઈ જવા પામી છે. આ ઘટનાને તમામ પાલિકાના કર્મચારીઓ દ્વારા વખોડવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્‍યની તમામ પાલિકાના કર્મચારીઓની હડતાલમાં ઉમરગામ પાલિકાના કર્મચારીઓ પણ જોડાયેલા છે. છેલ્લા પાંચ દિવસથી રોજિંદા કામકાજથીકર્મચારીઓ દૂર રહેતા પાલિકાવાસીઓને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાના કર્મચારીઓ દ્વારા આવતી કાલથી લાઈટ, પાણી અને સાફ-સફાઈની કામગીરી પણ બંધ કરવામાં આવશે એવું પાલિકાના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્‍યું છે. આમ પાણી અને લાઈટ તદુપરાંત સાફ-સફાઈની કામગીરી જો બંધ કરવામાં આવે તો ભારે અરજકતા સર્જવાની શકયતા નકારાતિ નથી જેના કારણે પાલિકા વાસીઓની મુશ્‍કેલીમાં વધારો થશે એવું જણાવી રહ્યું છે.

Related posts

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

Leave a Comment