Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

  • આજે બપોરે 1:30 વાગ્‍યે ઝરી મરી માતા મંદિર ખારીવાડથી કોળી પટેલ સમાજની વાડી સુધી નિકળનારી શોભાયાત્રા

  • શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાની કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે મંગળવાર તારીખ 3જી જાન્‍યુઆરી, 2023થી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે થઈ રહ્યું છે. જેમાં વ્‍યાસપીઠ ઉપરથી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. શ્રી મેહુલભાઈ જાની(ખેરગામવાળા) કથાનું રસપાન કરાવશે.
આવતી કાલ તા.3જી જાન્‍યુઆરીના રોજ કથાનો પ્રારંભ કરાશે અને આવતી કાલે બપોરે 1:30 વાગ્‍યે ઝરી માતા મંદિર ખારીવાડથી શોભાયાત્રા નિકળી કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે પહોંચશે.
આવતી કાલથી યોજાનારી શ્રીમદ ભાગવત કથાને લઈને દમણ જિલ્લા કોળી પટેલ સમાજમાં આનંદ અને ઉત્‍સવનો માહોલ ઉભો થયો છે અને મોટી સંખ્‍યામાં લોકો લાભ લેશે એવીઅપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી વિસ્‍તારમાં વધુ એક લવ જેહાદનો કિસ્‍સો નોંધાયો : વિધર્મી યુવક વિરૂધ્‍ધ ફરીયાદ બાદ અટક

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment