December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

  • આજે બપોરે 1:30 વાગ્‍યે ઝરી મરી માતા મંદિર ખારીવાડથી કોળી પટેલ સમાજની વાડી સુધી નિકળનારી શોભાયાત્રા

  • શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાની કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે મંગળવાર તારીખ 3જી જાન્‍યુઆરી, 2023થી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે થઈ રહ્યું છે. જેમાં વ્‍યાસપીઠ ઉપરથી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. શ્રી મેહુલભાઈ જાની(ખેરગામવાળા) કથાનું રસપાન કરાવશે.
આવતી કાલ તા.3જી જાન્‍યુઆરીના રોજ કથાનો પ્રારંભ કરાશે અને આવતી કાલે બપોરે 1:30 વાગ્‍યે ઝરી માતા મંદિર ખારીવાડથી શોભાયાત્રા નિકળી કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે પહોંચશે.
આવતી કાલથી યોજાનારી શ્રીમદ ભાગવત કથાને લઈને દમણ જિલ્લા કોળી પટેલ સમાજમાં આનંદ અને ઉત્‍સવનો માહોલ ઉભો થયો છે અને મોટી સંખ્‍યામાં લોકો લાભ લેશે એવીઅપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment