Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : દાદરા નગર હવેલી કેન્‍દ્રીય પ્રાથમિક શાળા ગલોન્‍ડા, લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલ અને જય હિંદ ઓપન ગ્રુપ સ્‍કાઉટ ગાઈડના 34 વિદ્યાર્થીઓ જેમાં 6 લીડર અને 4 કિચન ટીમ 1લી જાન્‍યુઆરી,2023ના રોજ બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્યનગરી એક્‍સપ્રેસ દ્વારા રાજસ્‍થાનના પાલી ખાતે 18મા રાષ્ટ્રીય જંબોરીમાં ભાગ લેવા વાપી રેલવે સ્‍ટેશનથી રવાના થયા હતા. આ સૂર્યનગરી એક્‍સપ્રેસ ટ્રેન મારવાડ પાલી વચ્‍ચે ટ્રેક ઉપરથી ઉતરી જતા કેટલાક લોકોને ઈજા થઈ હતી. આ અકસ્‍માતમાં દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમમાંથી કોઈને પણ ઈજા નથી થઈ હોવાની પુષ્‍ટિ દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે એક અખબારી યાદીમાંકરી છે. દાનહથી રવાના થયેલા સ્‍કાઉટ ગાઈડના તમામ સભ્‍યો સુરક્ષિત હોવાના સમાચાર મળતા પરિવારના સભ્‍યોમાં રાહતની લાગણી જોવા મળી છે.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment