December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

ફાયર એન.ઓ.સી. ક્‍યારનીય સરકારે ફરજિયાત કરી છે તો કાર્યવાહી કરવાની અચાનક ફુરસદ કેમ?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાલિકા અધિકારીઓએ જે મિલકતો પાસે ફાયર એન.ઓ.સી. નહોતી તેવી મિલકતો અચાનક સીલ મારવાનું અભિયાન ચલાવ્‍યું. જેના ઘેરા પ્રત્‍યાઘાત મિલકત ધારકોમાં પડયા છે. કારણ કે નોટિસ આપ્‍યા વગર જ મિલકતો સીલ કરી દેવાનું શુરાતન કેમ ચઢયુ તેનો જવાબ આપવા અધિકારીઓને ફુરસદ જ નથી.
આ ઘટના પરિપેક્ષમાં મુળ કારણ જે જાણવા મળ્‍યું છે એ છે કે અમદાવાદમાં આગનીમોટી દુર્ઘટના ઘટી એટલે સરકારે તાત્‍કાલિક પરિપત્ર બહાર પાડી દીધો. સરકાર પણ ઊંઘતી ઝડપાઈ છે કારણ કે સુરત તથશીલા અને અમદાવાદની હોસ્‍પિટલમાં આગના મોટા બે બનાવો બન્‍યા બાદ તાત્‍કાલિક અસરથી જે તે ટાઈમે ફાયર એન.ઓ.સી. ફરજીયાત કરી દેવાઈ હતી તે પછી નાટકીય અમલવારી થઈ પછી જે તે પાલિકા અને મહાનગરપાલિકા વાળા મીઠી નિંદરે ચઢી ગયા હતા. હવે ફરી અકસ્‍માત બાદ ફરી નવો પરિપત્ર ફાયર એન.ઓ.સી.નો આવતા વાપી, વલસાડની પાલિકાઓ એન.ઓ.સી. વગરની મિલકતો સીલ કરવાની પવન વેગી કાર્યવાહી શરૂ કરી દીધી. મિલકત ધારકોને નોટિસો પણ ફળવાઈ નથી તેવુ મિલકત ધારકો હાલ પણ કકળાટ કરી રહ્યા છે.

Related posts

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નુમા ઈન્ડિયા દમણની યોગા ટીમના પાંચ ખેલાડીઓ નેશનલ યોગા ઓલમ્પિયાડમાં ભાગ લેશે

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશિયલ કોર્ટ વાપીના આરોપીની જામીન અરજી નામંજુર કરી

vartmanpravah

Leave a Comment