January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

પૂજાપાઠ કે અન્‍ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ફૂલ, અગરબત્તી સહિત પૂજાનો સામાન, પ્‍લાસ્‍ટીકની થેલીઓ વગેરે નદીઓ કે જળાશયો ફેંકવામાં ન આવે. જેથી નદી, જળાશયો સ્‍વચ્‍છ રહે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નેશનલ એક્‍ઝિકયુટીવ સભ્‍ય શ્રી સિદ્ધાર્થ શુક્‍લાએ દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નો અંગે નિવાસી નાયબ કલેક્‍ટર(આરડીસી)ને લેખિત રજૂઆત કરી છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષથી દમણગંગા બ્રીજ પરથી મોટી સંખ્‍યામાં લોકોએ આત્‍મહત્‍યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુલ સુસાઇડ પોઇન્‍ટ બની ગયો છે, જેથી આ પુલની આજુબાજુ લોખંડની જાળી(ગ્રીલ) લગાવવામાં આવે જેથી ભવિષ્‍યનાદિવસમાં કોઈ વ્‍યક્‍તિ આત્‍મહત્‍યાનો પ્રયાસ ન કરી શકે અને લોકોનો જીવ બચી શકે. તેમણે જણાવ્‍યું છે કે, પૂજાપાઠ કે અન્‍ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ફૂલ, અગરબત્તી સહિત પૂજાનો સામાન, પ્‍લાસ્‍ટીકની થેલીઓ વગેરે નદીઓ કે જળાશયો ફેંકવામાં ન આવે. જેથી નદી, જળાશયો સ્‍વચ્‍છ રહે. હાલમાં બે પુલમાંથી એક પુલ બંધ કરવામાં આવેલ છે, જેના કારણે વાહનચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે, એમ્‍બ્‍યુલન્‍સ, ફાયરની ગાડીઓને તેમજ નાની ગાડીઓ અને બાઈક ચાલકોને જે બંધ કરવામાં આવેલ પુલ ઉપરથી પસાર થવાની પરમિશન આપવામાં આવે તો ટ્રાફિકનું ભારણ પણ ઓછું થઈ શકે એમ છે. ઉપરાંત નરોલી જંક્‍શન અને અથાલ જંક્‍શન જ્‍યાં તમામ પ્રકારના વાહનોની અવર જવર થાય છે અને આ જગ્‍યા પર કોઈ જ સ્‍પીડ બ્રેકર નથી. નરોલી અને અથાલની આજુબાજુ ઘણી શાળાઓ પણ આવેલ છે જેમાં બે શિફટમાં શાળા ચાલે છે, વિદ્યાર્થીઓએ ભારે ટ્રાફિકમાંથી પસાર થવું પડે છે. બીએપીએસ શાળા આગળ પણ આજ પરિસ્‍થિતિ છે. આ ટ્રાફિકના કારણે અપ્રિય દુર્ઘટનાથી બચવા માટે તેજ ગતિથી આવતા વાહનોની ગતિ નિયંત્રણ કરવા માટે અવરોધ બનાવવું આવશ્‍યક છે. અથાલ જંક્‍શન પર રસ્‍તાની આજુબાજુ આડેધડ મોટા મોટા વાહનો પાર્ક કરવામાં આવે છે જેના કારણે બીજાવાહનોને પણ તકલીફ થાય છે જેના કારણે જે આડેધડ પાર્ક કરનાર વાહન ચાલકોને પોતાની ખાનગી જગ્‍યા પર પાર્ક કરવા માટે નિર્દેશ આપવામાં આવે એવી યુવા મોરચા નેશનલ એક્‍ઝિક્‍યુટીવ સભ્‍ય શ્રી સિદ્ધાર્થ શુક્‍લાએ આરડીસીને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે.

Related posts

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

vartmanpravah

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

vartmanpravah

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

ચીખલીના થાલામાં ટ્રકની લેતીદેતીમાં વલસાડના ઈસમને માર મારતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment